Amdavad Post
આરોગ્યગુજરાતહેડલાઇન

ફિઝિયોકેર મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી સેન્ટરે વસ્ત્રાપુરમાં તેની ચોથી બ્રાન્ચનો પ્રારંભ કર્યો

અમદાવાદઃ ફિઝિયોકેર મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી સેન્ટરે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં તેની નવી બ્રાન્ચનું ઉદઘાટન કરીને ઉત્તમ ફિઝિયોથેરાપી કેર પ્રદાન કરવાની તેની કટીબદ્ધતામાં વધુ એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે.

વર્ષ 2008માં પ્રહલાદ નગરમાં તેની પ્રથમ બ્રાન્ચની શરૂઆત અને ત્યારબાદ સાયન્સ સિટી અને સાઉથ બોપલમાં બ્રાન્ચના શુભારંભ સાથે ફિઝિયોકેર અમદાવાદમાં ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટમાં અગ્રેસર રહ્યું છે. તે સાંધાના દુખાવા, રમત-ગમતની ઇજાઓ અને ઉંમર સંબંધિત સાંધાઓની સમસ્યાની સારવાર તથા ફિઝિયોથેરાપી સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે.

ફિઝિયોકેરના સ્થાપક અને સ્પેશિયલાઇઝ્ડ ઓર્થોપેડિક ફિઝિયોથેરાપિસ્ટ ડો. રવિ અકબરીએ જણાવ્યું હતું કે, ફિઝિયોથેરાપી રિહેબિલિટેશનની  સાથે-સાથે ઇજાઓને અટકાવવા તેમજ એકંદર તંદુરસ્તી અને ફિટનેસ માટે પણ ખૂબજ મહત્વપૂર્ણ છે. અમારું લક્ષ્ય વ્યાપક તપાસ, નિદાન અને ફિઝિકલ હસ્તક્ષેપના માધ્યમથી અમારા દર્દીઓ માટે વિકલાંગતા દૂર કરવા, તેમની હલનચલનને પ્રોત્સાહન આપવું અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનું છે. વસ્ત્રાપુર બ્રાન્ચની શરૂઆત સમગ્ર અમદાવાદમાં ઉચ્ચ-ગુણવત્તાયુક્ત ફિઝિયોથેરાપી કેરની એક્સેસમાં વધારો કરવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે.

વસ્ત્રાપુર સેન્ટર અદ્યતનરોબોટિક સ્પાઇન ડિકોમ્પ્રેશન યુનિટથી સજ્જ છે, જે ચોક્કસ સ્પાઇન માટે ડિઝાઇન કરાયેલી અદ્યતન ટેક્નોલોજી છે. તે સ્પાઇનની બેજોડ રિકવરીની સુવિધા આપે છે. ઉપરાંત લેસર ટ્રીટમેન્ટ, મોબિલાઇઝેશન ટેક્નીક અને વ્યાપક ફિઝિયોથેરાપી સેવાઓ પણ સેન્ટરમાં પ્રદાન કરાય છે. સેન્ટર ઓર્થો ફિઝિયોથેરાપી, સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી અને પેઇન મેનેજમેન્ટ સહિતની વિશિષ્ટ સેવાઓની શ્રેણી ઓફર કરશે.

 

વસ્ત્રાપુર કેન્દ્ર અદ્યતન રોબોટિક સ્પાઇન ડીકમ્પ્રેશન યુનિટથી સજ્જ છે, જે ચોક્કસ સ્પાઇન માટે રચાયેલ અત્યાધુનિક ટેક્નોલોજી છે, જે સ્પાઇનની અસાધારણ પુનઃપ્રાપ્તિને સુવિધા આપે છે. તે લેસર સારવાર, ગતિશીલતા તકનીકો અને વ્યાપક ફિઝિયોથેરાપી સેવાઓ પણ પ્રદાન કરશે. વધુમાં, કેન્દ્ર ઓર્થો ફિઝિયોથેરાપી, સ્પોર્ટ ફિઝિયોથેરાપી અને પેઈન મેનેજમેન્ટ સહિતની વિશિષ્ટ સેવાઓની શ્રેણી ઓફર કરશે.

તમામ દર્દીઓની સુવિધા માટે ફિઝિયોકેર એવાં લોકોને હોમ સર્વિસિસ પણ ઓફર કરે છે કે જેમણે કરોડરજ્જૂ અને ઘૂંટણની સર્જરી કરાવી હોય તેમજ સેન્ટરની મુલાકાત લેવા માટે અસમર્થ હોય.

તમામ દર્દીઓ માટે સુલભતા સુનિશ્ચિત કરવા માટે, ફિઝિયોકેર એવા લોકો માટે હોમ સેવાઓ પણ પૂરી પાડે છે જેમણે કરોડરજ્જુ અથવા ઘૂંટણની સર્જરી કરાવી હોય અને કેન્દ્રની મુલાકાત લેવામાં અસમર્થ હોય.

નવું સેન્ટર 503, અક્ષર સ્કવેર, સંદેશ પ્રેસ રોડ, વસ્ત્રાપુર સ્થિત છે.

Related posts

કબીરવડ કથાને વિરામ;૯૫૦મી કથા પ્રયાગનાં અક્ષયવટ-મહાકુંભ મેળામાં આવતા શનિવારથી વહેશે.

amdavadpost_editor

XLRI એ PGDM (BM) અને PGDM (HRM) 2023-25 બેચ માટે રેકોર્ડ પ્લેસમેન્ટ પ્રાપ્ત કર્યા

amdavadpost_editor

દુબઈએ 2024 ના પ્રથમ છ મહિનામાં રેકોર્ડ 9.31 મિલિયન મુલાકાતીઓનું સ્વાગત કર્યું

amdavadpost_editor

Leave a Comment