Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નેપાળ બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ — થોડા સમય પહેલાં નેપાળમાં એક બસ દુર્ધટનાનો ભોગ બની હતી. પ્રાપ્ત અખબારી યાદી મુજબ નેપાળમાં પોખરાથી કાઠમાંડુ તરફ જઈ રહેલી બસમાં ૪૪ યાત્રીઓ સવાર હતા. અચાનક જ આ બસના ચાલકે કાબૂ ગુમાવતા બસ ૨૦૦ ફીટ ઉંડી ખીણમાં ખાબકી હતી અને જોતજોતામાં ૧૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૭૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે નેપાળ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે. નેપાળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને સાથે રાખી આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

રિલેક્સોએ ગાંધીધામ, ગુજરાતમાં નવા એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ સાથે રિટેલ ફૂટપ્રિન્ટનો વિસ્તાર કર્યો

amdavadpost_editor

સેલોરેપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 25 જુલાઈ 2025 ના રોજ તેનો આઈપીઓ લોન્ચ કરશે; મૂડી બજારમાં હવે ચાર દાયકાથી વધુનો ઓટોમોટિવ અનુભવ

amdavadpost_editor

ગોડેડી Airo સોલ્યુશન ભારતીય સાહસિકોને સમય બચાવવામાં મદદ કરી રહ્યું છે

amdavadpost_editor

Leave a Comment