Amdavad Post
આંતરરાષ્ટ્રીયગુજરાતધાર્મિકરાષ્ટ્રીય

જમ્મુ ખાતે શહીદ થયેલા જવાનોને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને ઉન્નાવ દુર્ઘટનામાં પરિવારજનોને સહાય

જમ્મુ કાશ્મીરમાં દેશ વિરોધી પ્રવૃત્તિ ચાલે છે જેને નેસ્તનાબુદ કરવા માટે ભારત સરકાર દ્વારા પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવે છે. બે દિવસ પહેલા સર્ચ ઓપરેશન દરમિયાન ત્રાસવાદીઓ દ્વારા સર્ચ ટુકડી પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પાંચ જવાનો શહીદ થયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ જવાનોની શહીદીને વંદન કર્યા છે અને એમને શ્રધ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા તમામ જવાનો માટે આર્મી વેલફેર ફંડમા ૭૫,૦૦૦ નું અનુદાન અર્પણ કર્યું છે.

અન્ય એક બનાવમાં બિહારથી દિલ્હી જઈ રહેલી એક ખાનગી બસને ઉન્નાવ નજીક ભયંકર અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૮ લોકોનાં મોત નિપજયા છે. આ ઘટનાની વિગતો મેળવવામાં આવી રહી છે અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૭૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે જે સેવા ઉત્તરપ્રદેશના રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

 

Related posts

ગુજરાતની અદ્ભુત સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ ખોરાકથી મળે છે પ્રેરણા, ભારત પ્રવાસ પહેલાં તાતિયાના નવકાએ શેર કર્યા તેમના વિચારો

amdavadpost_editor

જગતનાં તમામ દ્વંદોને હસીને સહી લેવા તપ છે.

amdavadpost_editor

ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર – પારુલ યુનિવર્સિટી દ્વારા વિજ્ઞાન, આર્ટસ અને કોમર્સ માટે યુજી પ્રવેશનો પ્રારંભ

amdavadpost_editor

Leave a Comment