Amdavad Post
ઉદ્યોગસાહસિકોગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઈ.ડી.આઇ.આઇ., અમદાવાદ અને એસ.બી.આઇ. ફાઉન્ડેશન દ્રારા દિવ્યાંગ ઉધોગ સાહસિકોના ધંધાના વિકાસ માટેનો તાલીમ કાર્યક્રમ પરઢોલ, અમદાવાદ ખાતે યોજાયો.

અમદાવાદ જુલાઈ 2024: ઉદ્યોગસાહસિકો વિકસાવી રાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસમાં આગવું પ્રદાન કરતી રાષ્ટ્રીય સ્તરની સંસ્થા એટલે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII). EDII એક સ્વાયત્ત સંસ્થા છે અને પબ્લીક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ અને સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ ૧૮૬૦ હેઠળ નોંધાયેલી છે.સૌભાગ્યવશ EDII જેવી સંસ્થાની સ્થાપના ગુજરાત રાજ્યમાં થઇ છે અને ઉદ્યોગસાહસિકતાના ખ્યાલનો યુવાવર્ગમાં બહોળો પ્રચાર અને પ્રસાર થાય તે દિશામાં સંસ્થા વર્ષ ૧૯૮૩થી કાર્યાન્વિત છે.

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન, અમદાવાદ તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા ફાઉન્ડેશન, મુંબઇ ના સહયોગથી દિવ્યાંગ ઉદ્યોગ સાહસિક દ્ર્ર્રારા ચલાવવામાં આવતા પોતાના ધંધાનો વિકાસ થાય તે હેતુથી ૧૨ દિવસના તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમ કાર્યક્રમ ૦૧.૦૭.૨૦૨૪ થી ૧૪.૦૭.૨૦૨૪ દરમ્યાન શ્રી રામદેવ મંદિર હોલ, પરઢોલ ખાતે યોજાયો.

આ તાલીમ કાર્યક્રમમાં કુલ ૨૫ દિવ્યાંગ ઉદ્યોગ સાહસિકો એ તાલીમ મેળવી. આ તાલીમ કાર્યક્રમમાં સરકારની અને બેંકની વિવિધ યોજનાઓની માહિતી આપેલ હતી. તેમજ પોતાના ધંધાનો વિકાસ તથા ઓનલાઇન અને બજારની વ્યુહ રચના અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને અમલીકરણ શ્રી અમિત દ્રિવેદી, પ્રોજેકટ ડાયરેકટર, ઈ.ડી.આઇ.આઇ અને શ્રીમતિ પ્રિયંકા પટેલ, પ્રોગમ કો-ઓડીનેટર, ઈ.ડી.આઇ.આઇ દ્રારા કરવામાં આવ્યું હતું.

 

Related posts

ટાટા મોટર્સ અમદાવાદમાં ગ્રાહકોને દેશ કા ટ્રક ઉત્સવના માધ્યમથી વધુ વ્યવસાયિક લાભ પૂરો પાડવા માટે સશક્ત બનાવશે

amdavadpost_editor

સુનીલ શેટ્ટીએ યુ.એસ.પોલો એસ્ન.ના બોલ્ડ ઓટમ વિન્ટર ’24 કલેક્શનનું અનાવરણ કર્યું – ખાસ કરીને યુએસપોલોએસ્ન. ઈન માટે

amdavadpost_editor

પીએસએમ મલ્ટિ-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજને AHMP ઈન્ડિયા સમિટમાં પ્રાપ્ત થયો એવોર્ડ

amdavadpost_editor

Leave a Comment