Amdavad Post
ગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી અમદાવાદના 8 ક્લબો એ ભેગા મળી ને લીડરશીપ ડેવેલપમેન્ટ પ્રોગ્રામ નું આયોજન કર્યું

રોટરી અમદાવાદ ક્લબના આ પ્રોગ્રામ માં મુખ્ય વક્તા તરીકે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના લાઈફ કોચ અને મોટીવેશનલ સ્પીકર પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામીજી એ લીડરશિપ વિશે પોતાનું જ્ઞાન રોટરીયન સમક્ષ રજુ કર્યું હતું અને જીવનના અનુભવો શેર કર્યા હતા.

પોતાના વ્યક્તવ્યમાં તેમણે સફળ લીડરમાં મુખ્ય કયા ગુણો હોવા જોઈએ તેના વિષે સમજ આપી હતી. સફળ લીડરમાં આશા, હિંમત, પ્રામાણિકતા, સર્વસમાવેશકતા આ 4 ગુણો હોવા જ જોઈએ. લીડર પોતે સ્ટેબલ હોવો જોઈએ અને પોતાની જાત પર કોન્ફિડન્સ હોવો જોઈએ. વ્યક્તિએ કોઈ પણ કાર્ય કરતા પહેલા 100 વાર વિચાર કરી ને પછી જ કરવું જોઈએ પછી ભલે વ્યક્તિ સફળ થાય કે નિષ્ફળ થાય પરંતુ કરેલા કાર્ય પર પસ્તાવો ના થવો જોઈએ.

કોઈ પણ વ્યક્તિ પ્રયત્ન કરે તો બધું જ શક્ય છે. સાથે સાથે તેમણે નાગરિકો ને આગામી લોકસભાની ચૂંટણી માટે ફરજિયાત પણે મતદાન કરવા અપીલ કરી હતી અને આપણો લીડર કેવો હોવો જોઈએ એ વિશે પણ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે જેઓ મતદાન નથી કરી રહ્યા તેમને આગામી 5 વર્ષ સુધી સરકારના શાસન વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. આ પ્રામાણિકતા ભારતના દરેક નાગરિકોએ બતાવવી જોઈએ.

Related posts

સર્ક્યુલર ઇકોનોમીની સીમાચિહ્ન પહેલ, 32,000 પ્લાસ્ટિક વેસ્ટનુ રિસાયકલ કરશે અને વાર્ષિક ધોરણે CO2માં 15,000 ટનનો ઘટાડો કરશે

amdavadpost_editor

અરવિંદ લિમિટેડે પ્રાઇમેન્ટ લક્ઝરી ફેબ્રિક્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મહામહિમ ડૉ. લક્ષ્યરાજ સિંહ મેવાર સાથે તેનું પ્રથમ કેમ્પેઇન શરૂ કર્યું

amdavadpost_editor

ફિલ્મ કહાં શુરુ કહાં ખતમના ગીત ‘એક લડકી ભીગી ભાગીસી’ ને રિક્રિએટ કરવા અંગે લક્ષ્મણ ઉતેકર કહે છે – અમને એક વધારાનું પ્રમોશનલ ગીત જોઈતું હતું

amdavadpost_editor

Leave a Comment