Amdavad Post
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ચોટીલા નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ 26 નવેમ્બર 2024: પ્રાપ્ત વિગતો અનુસાર લીંબડી તાલુકાના શિયાણી ગામે રહેતા લોકો એક પીકઅપ વાહન લઇને પિતૃકાર્ય અર્થે સોમનાથ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું વાહન ચોટીલા નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારનાં ચાર બહેનોના કરુણ મોત નિપજયા હતા અને અનેક લોકોને ઈજા પહોંચી હતી. આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓને પુજ્ય મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦ હજારની સંવેદના રાશિ અર્પણ કરી છે. આ રાશિ લીંબડી સ્થિત રામકથાના શ્રોતા (શ્રી કેતન વ્યાસ ) દ્વારા પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

સેમસંગ દ્વારા તમારો અસલી AI સાથી ગેલેક્સી S25 સિરીઝ લોન્ચ

amdavadpost_editor

કેચ સ્પાઇસિસે અક્ષય કુમાર અને રાજપાલ યાદવ અભિનીત નવી ટીવીસીનું અનાવરણ કર્યું

amdavadpost_editor

ડ્યુરોપ્લાય પ્લાયવૂડ ઉત્પાદનમાં ઉત્કૃષ્ટતા અને વારસાના 68મા વર્ષની ઉજવણી કરે છે

amdavadpost_editor

Leave a Comment