Amdavad Post
ગુજરાતગુજરાત સરકારરાજકારણરાષ્ટ્રીયહેડલાઇન

વટવા વોર્ડ પ્રમુખ તરીકે નિમણુંક પામનાર પ્રતિકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાશે

અમદાવાદ 06 જાન્યુઆરી 2025: ગત 27 ડિસેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા કર્ણાવતી મહાનગરના વોર્ડ પ્રમુખોની નિમણુંક કરવામાં આવી હતી જેમા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી માનનીય શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને વટવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી બાબુસિંહ જાદવના માર્ગદર્શન હેઠળ વટવા વિધાનસભાના વટવા વોર્ડમાં પ્રતીકભાઈ પટેલ, વસ્ત્રાલ વોર્ડમાં પ્રદીપભાઈ પટેલ અને રામોલ-હાથીજણ વોર્ડમાં હિતેશભાઈ ભરવાડની વોર્ડ પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

વટવા વિધાનસભાના ત્રણેય વોર્ડમાં નિમણુંક પામેલા વોર્ડ પ્રમુખો સંગઠનના જાણકાર, ગ્રાસરૂટ પર કામ કરનાર અને સૌને સાથે રાખી ચાલનારા હોઈ કાર્યકર્તાઓમા આ નિમણુંકને લઇ અનેરો ઉત્સાહ અને ઉમંગ છે.

સર્વસ્વીકૃત નામોને લઇ કાર્યકર્તાઓમાં ખુશીની લહેર છવાઈ છે ત્યારે આવતીકાલ 7 મી જાન્યુઆરીના રોજ વટવા વિધાનસભા ભાજપ પરીવાર દ્વારા નવનિયુક્ત પ્રમુખોની અભિવાદન યાત્રા યોજાનાર છે.

વટવા વોર્ડ પ્રમુખ તરીકે નિમણુંક પામનાર પ્રતિકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા જે વોર્ડના આશરે 9 KM જેટલાં મુખ્ય માર્ગો પર યોજાનાર છે જેમાં 1000 જેટલાં બાઈક, 50 જેટલી કાર જોડાનાર છે જયારે 25 જેટલાં સ્થાનો પર સ્થાનિકો અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા નવનિયુક્ત પ્રમુખ શ્રીનું સ્વાગત અભિવાદન થનાર છે.

આ અભિવાદન યાત્રાને પગલે સમગ્ર વિધાનસભામાં ચૂંટણી વિના ચૂંટણી જેવો માહોલ સર્જાસે.

Related posts

એકો ડ્રાઈવનો કાર ખરીદદારોને એક છત હેઠળ સમાધાન પ્રદાન કરવા અમદાવાદમાં પ્રવેશ

amdavadpost_editor

રૂ.48.81 કરોડનો કવાસર ઇન્ડિયાનો રાઇટ ઇશ્યુ 17 જાન્યુઆરીના રોજ બંધ થશે

amdavadpost_editor

ઝેવિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ 2025 રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 30મી નવેમ્બર, 5મી જાન્યુઆરીએ એક્ઝામ યોજાશે

amdavadpost_editor

Leave a Comment