Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહાકુંભમાં ભાગદોડમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

ગુજરાત, અમદાવાદ ૩૦ જાન્યુઆરી ૨૦૨૫: ૧૪૪ વર્ષે જેનો યોગ રચાયો છે તે મહાકુંભનું પર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓઉમટી પડે છે. મૌનીઅમાસને દિવસે મહાકુંભમાં વધુ પડતી ભીડ ઉમટી પડી હતી. એ સંજોગોમાં લોક પ્રવાહને નિયંત્રિત કરવા માટે લગાવેલીબેરીકેડ તૂટી જતાં પ્રાપ્ત વિગતો અનુસાર ૩૦ લોકોનાં કરુણ મોત નિપજયા છે અને અનેક લોકોને ઈજા પહોંચી છે. એક અહેવાલ અનુસાર આ દિવસે  પાંચ કરોડ લોકો સ્નાન કરવા એકઠા થયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યાગયેલાઓનેશ્રધ્ધાંજલિપાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ આ આપદાની પરિસ્થિતિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. પૂજ્ય બાપુએ આ ઘટનામાં માર્યાગયેલાઓનાપરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 15,000 લેખે સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. સાથોસાથ જેઓ ઘાયલ થયા છે તેઓ ઝડપથી પૂનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી શ્રી હનુમાનજીનાંચરણોમાં  પ્રાર્થના કરી છે. સ્થાનિક પ્રશાસન પાસેથી અવસાન પામેલા લોકોની વિગતો મેળવી કુલ મળીને ૪,૫૦,૦૦૦ રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે.

આ કરુણ ઘટનામાં માર્યાગયેલાઓના નિર્વાણ માટે પણ પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે.

Related posts

ડાયાબિટીઝ તણાવનું વ્યવસ્થાપન અને વધુ સારી રીતે બર્નઆઉટ કેવી રીતે કરવું?

amdavadpost_editor

કોમર્સના ક્ષેત્રમાં પહેલ :પારુલ યુનિવર્સિટીએ ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામો બાદ યુજી પ્રવેશની શરૂઆત કરી

amdavadpost_editor

વૈશાલી ફાર્મા લિમિટેડે કેસર ફાર્મા લિમિટેડમાં 51 હિસ્સો સંપાદિત કરીને બજાર ઉપસ્થિતિને મજબૂત કરી

amdavadpost_editor

Leave a Comment