Amdavad Post
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ઈંતેજારી ખતમ! બાલવીરનો આગામી અધ્યાયથી શરૂ થશે, જે ખાસ સોની લાઈવ પરથી પ્રસારિત થશે!

ગુજરાત, અમદાવાદ ૨૪ માર્ચ ૨૦૨૫: પિતા સાથે સઘન શોડાઉન પછી બાલવીર શક્તિરહિત થઈ જાય છે, પરંતુ તેનું અસ્તિત્વ ભૂંસવા માગતા જીવલેણ નવા દુશ્મન ઊભરી આવતાં તેનો આ પ્રવાસ પૂરો થવાથી હજુ બહુ દૂર છે. દુનિયાનું ભાગ્ય દાવ પર છે ત્યારે બાલવીરે ફરીથી ઊભરી આવવા અને વધુ મોટા જંગનો સામનો કરવા માટે પોતાની રીત શોધવાનું આવશ્યક છે.

દેવ જોશી કહે છે, “બાલવીર હંમેશાં સાહસ, આશા અને સારપ અને બુરાઈ વચ્ચેનો જંગ રહ્યો છે. આ સીઝન બધું સંપૂર્ણ નવા સ્તરે લઈ જાય છે, વધુ ઘેરા પડકારો, ઉચ્ચ દાવ પરની કૃતિઓ અને શક્તિશાળી પરિવર્તન સહિતનનું પરિવર્તન જોવા મળશે. સીઝન 5 રોમાંચક નવો અધ્યાય છે અને બાલવીરનો વધુ સઘન પ્રવાસ ચાહક જુએ તે માટે હું ભારે ઉત્સુક છું. લીજેન્ડનો હજુ અંત આવ્યો નથી!”

બાલવીર તરીકે દેવ જોશી, કાશ્વી તરીકે અદિતિ સંવાલ અન આજીલ તરીકે અદા ખાન અભિનિત આ સીઝન રોમાંચક એકશન, ફેન્ટસી અને ભાગ્યના જંગનું વચન આપે છે. શું બાલવીર તેની શક્તિ ફરીથી હાંસલ કરી શકશે અને અંધકારનાં બળોને હરાવી શકશે?

જોવાનું ચૂકશો નહીં બાલવીરની ગાથાનો રોમાંચ, ૭ એપ્રિલથી શરૂ થશે, સોમવારથી શુક્રવાર, ખાસ સોની લાઈવ પર!

લિંક: https://www.youtube.com/watch?v=TWfWMr_etfw

Related posts

ભારતમાં 82% પ્રોફેશનલ્સ 2025માં નવી નોકરી શોધી રહ્યા છે, પરંતુ શોધ પહેલા કરતા વધુ કઠિન છે

amdavadpost_editor

ગ્રીવ્ઝ ફાઈનાન્સ લિ. દ્વારા અમદાવાદમાં 100 ટકા ઈ-કેન્દ્રિત ધિરાણ મંચ “evfin” રજૂ

amdavadpost_editor

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના હોદ્દેદારોની વર્ષ 2025-2026 માટે નિમણૂંક કરાઇ

amdavadpost_editor

Leave a Comment