Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મધ્યપ્રદેશના મંદસૌર ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ ૨૮ એપ્રિલ ૨૦૨૫: ગઈકાલે મધ્યપ્રદેશના મંદસૌર ખાતે અકસ્માતમાં ૧૨ લોકોનાં કરુણ મોત નિપજયા છે તેવા સમાચારો પ્રાપ્ત થયા છે. અખબારી અહેવાલ મુજબ મધ્યપ્રદેશના મંદસૌર જીલ્લામાં નારાયણ ગઢ વિસ્તારમાં રસ્તા પર આડા આવેલ બાઈકને બચાવવા જતાં એક ઈકો કાર પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કાર કુવામાં ખાબકી હતી અને તે કૂવામાં ગેસ ગળતર થતાં ૧૨ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૮૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ વિતજા સેવા કથાના શ્રોતા મુંબઈ સ્થિત શ્રી વરુણ મોદી દ્વારા મધ્યપ્રદેશ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

નેસ્લે ઇન્ડિયાએ કિટકેટ® પ્રોફેશનલ સ્પ્રેડ રજૂ કર્યું: રાંધણકળાઓમાં એક નવીન ઉમેરો

amdavadpost_editor

સ્કાયલાઇન માસ્ટરશેફ 1.0: અનમેચ્ડ ફેલોશિપ સાથે કલિનરી એક્સ્ટ્રાવેગેન્ઝા

amdavadpost_editor

ટકાઉ ઉત્પાદન અને નવીનીકરણને પ્રાથમિકતા સાથે, ભારતીય કાપડ વેપારી ગાર્ટેક્સ ટેક્સપ્રોસેસ ઈન્ડિયા, નવી દિલ્હી 2024માં નવા ઉત્પાદનો અને નવીનતાઓનું પ્રદર્શન કરશે

amdavadpost_editor

Leave a Comment