Amdavad Post
ગુજરાતરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

પી.એસ.એમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે તબીબોની ટીમે અમદાવાદથી રેફર થયેલ દર્દીને એક્યુટ રેસ્પીરેટરી ફેઈલ્યર રોગની૪૦ દિવસની સઘન સારવાર આપીને જીવનદાન બક્ષ્યુ

ગુજરાત, અમદાવાદ ૨૭ મે ૨૦૨૫: પ્રમોદસિંહ ઉં વર્ષ-૫૪ નામના દર્દીને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલ ખાતે સાત દિવસ સારવાર આપ્યા પછી સાજા થવાની આશા છોડી દીધેલ અને આ બાબતની દર્દીના કુટુંબને જાણ કરી દીધેલ. ત્યારબાદ આ દર્દીને પી.એસ.એમ. હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ.

મેડીસીન વિભાગના હેડ. ડૉ. તોષનીવાલ ના માર્ગદર્શન હેઠળ ડૉ. દિશા પટેલ, ડૉ. ચિંતન જાદવ, ડૉ. જપન પટેલની ટીમે સઘન સારવાર સતત ૪૦ દિવસ સુધી આપેલ. દર્દીને સેપ્ટિક શોક તથા એક્યુટ રેસ્પીરેટરીફેઈલ્યર માટે ટ્રેકિયોસ્ટોમી, વૅન્ટિલેટર વગેરે જેવી સઘન સારવાર આપવામાં આવેલ. જે પછી દર્દીની હાલતમાં સતત સુધારો જોવા મળેલ. અંતે દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ મોતના મુખમાંથી બહાર આવેલ છે. હવે તેઓ સ્વતંત્ર રીતે બોલી શકે છે! આ તેમના પરિવાર માટે એક સુખદ પળ છે,આ સારવાર આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ (પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના) હેઠળ વિનામૂલ્યે કરવામાં આવી. જે સ્વામિનારાયણ મેડિકલ કોલેજના ડીન ડૉ.અશ્વિન સંઘવીની યાદીમાં જણાવવામાં આવેલ.

Related posts

સાયકલ પ્યોર અગરબત્તીએ અયોધ્યામાં 121 ફૂટની અગરબત્તી પ્રગટાવીને ઈતિહાસ રચ્યો

amdavadpost_editor

અરવિંદ લિમિટેડે પ્રાઇમેન્ટ લક્ઝરી ફેબ્રિક્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મહામહિમ ડૉ. લક્ષ્યરાજ સિંહ મેવાર સાથે તેનું પ્રથમ કેમ્પેઇન શરૂ કર્યું

amdavadpost_editor

એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા “વર્લ્ડ હિયરિંગ ડે” ની ઉજવણી કરવામાં આવી

amdavadpost_editor

Leave a Comment