Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બેંગ્લોરની ભાગદોડમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ 7 જૂન 2025: કર્ણાટકના બેંગલોર ખાતે નાસભાગની ઘટનામાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યો છે. બેંગ્લોર ખાતે એક તરફ આરસીબીની જીતનો સૌને આનંદ હતો અને બીજી તરફ તે ભવ્ય જીતની ઉજવણીમાં સામેલ થવા માટે લાખો લોકો એકત્રિત થયા હતા. ભીડ બેકાબૂ બની હતી અને પરિણામ સ્વરૂપે નાસભાગ મચી જવા પામી હતી. જેમાં પ્રાપ્ત વિગતો મુજબ ૧૧ યુવાન ભાઈ-બહેનોનાં કચડાઈ જવાથી કરુણ મોત નિપજ્યા છે. માર્યા ગયેલા તમામ એકદમ યુવાન વયજૂથના હતા. આ કરુણ ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને રૂ.૧૫,૦૦૦ લેખે કૂલ મળીને રૂ.૧,૬૫,૦૦૦ ની સહાયતા રાશી અર્પણ કરી છે.
 
અકસ્માતની અન્ય એક ઘટનામાં દ્વારકા ગોમતી નદીમાં સ્નાન કરવા ગયેલા યુવકોમાંથી જામનગરમાં રહેતી એક યુવતીનું તણાઈ જતા દુઃખદ મોત નીપજ્યું હતું. પૂજ્ય બાપુએ તે યુવતીને શ્રદ્ધાંજલિ પાઠવી તેના પરિજનોને રૂ.૧૫,૦૦૦ ની સહાયતા રાશી અર્પણ કરી છે. આ સહુ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.

Related posts

હાયર ઈન્ડિયાએ તેની ડાયરેક્ટ કૂલ રેન્જ ફોનિક્સ સાથે મોર્ડન ડિઝાઇન રેફ્રિજરેટર્સની પ્રીમિયમ ગ્લાસ ડોર સિરીઝ લોન્ચ કરી

amdavadpost_editor

સેમસંગના ફેબ ગ્રેબ ફેસ્ટ સાથે ગરમીને ભગાવોઃ ગેજેટ્સ અને એપ્લાયન્સીસ પર મોટા ડિસ્કાઉન્ટ!

amdavadpost_editor

કેસિયો ગુજરાતમાં તેની રિટેલ હાજરીને મજબૂત બનાવે છે, વડોદરામાં નવો એક્સક્લુઝિવ સ્ટોર લોન્ચ કર્યો

amdavadpost_editor

Leave a Comment