Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કોલકાતા અને અન્ય વિવિધ સ્થળોએ માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | 25 સપ્ટેમ્બર 2025: કોલકાતા શહેરમાં ૧૯૭૬ પછી ગઈકાલે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ૨૬૦ મીમી વરસાદ નોંધાયો છે જેને કારણે સમગ્ર શહેર સરોવરમાંફેરવાયું હતું. અતિ ભારે વરસાદને પગલે ચોવીસ પરગણા અને શહેરના માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ વરસાદ થયો તેને કારણે ૧૦ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએમરુતકોનેશ્રધ્ધાંજલિપાઠવી છે અને તત્કાલ સહાય સ્વરુપે ૧,૫૦,૦૦૦ ની રાશિ અર્પણ કરી છે જે ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ માં પહોંચાડવામાં આવશે.

આ સમયમાં મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થયો હતો અને તે દરમિયાન મળતી માહિતી મુજબ ૮ લોકોનાં મોત નિપજયા છે. જેમનાંપરિવારજનોને ૧,૨૦,૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. એ ઉપરાંત થોડા દિવસ પહેલાં પાલઘર વિસ્તારમાં એક મકાન ધરાશયી થઈ જતાં ૨૧ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ લોકોને પણ શ્રધ્ધાંજલિપાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડી દેવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

ધુરંધરનું પહેલું ગીત રિલીઝ થયું છે – અને ટાઇટલ ટ્રેક અદ્ભુત છે!

amdavadpost_editor

હનુમાન જયંતિની પૂર્વસંધ્યાએ આર્કવે બાય અદાણી ના રહેવાસીઓએ સુંદરકાંડ પાઠનું આયોજન કર્યું

amdavadpost_editor

AM/NS Indiaએ “વિકસિત ભારત” ના લક્ષ્યને ધ્યાનમાં રાખી વર્લ્ડ-ક્લાસ અને પેટન્ટેડ કલર કોટેડ સ્ટીલ ઉત્પાદનો– Optigal® Prime અને Optigal® Pinnacle – લોન્ચ કર્યા

amdavadpost_editor

Leave a Comment