Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટ્વિંકલ ખન્નાએ કર્યો એલાન ‘મિસિસ ફનીબોન્સ’નો સીક્વલ જલ્દી આવી રહ્યો છે!

મિસિસ ફનીબોન્સ પરત આવી! ટ્વિંકલ ખન્નાએ પોતાના બેસ્ટસેલરનું સિક્વલ જાહેર કર્યું, કહી – “હવે તે મોટી, પહોળી થઈ ગઈ છેપણ શું વધુ સમજદાર બની છે?”

ગુજરાત, અમદાવાદ | ૧૨મી નવેમ્બર ૨૦૨૫ — ટ્વિંકલ ખન્ના અનેક ભૂમિકાઓ ભજવે છે – તે કોલમિસ્ટ છે, લેખિકા છે, ઑથર છે, હોસ્ટ છે અને સૌથી વધારે ‘મિસિસ ફનીબોન્સ’ છે! આજે, 12 નવેમ્બરે ટ્વિંકલે પોતાની બેસ્ટસેલિંગ બુકનું સિક્વલ ‘Mrs Funnybones Returns’ જાહેર કર્યું. તેમની પહેલી બુક 2015માં પ્રકાશિત થઈ હતી.

સોશિયલ મીડિયા પર ટ્વિંકલે પોતાની બુક સાથેનો ફોટો શેર કરતાં લખ્યું – “દરેક બુક ટુરમાં મારે પાસે પૂછવામાં આવ્યું કે Mrs Funnybonesનું સિક્વલ ક્યારે આવશે. તો લોજો, આવી ગયું! દસ વર્ષથી મેં સ્ત્રીઓના જીવન, રાજકારણ, ભગવાન, સમાચાર, દુખ, હાસ્ય અને ઉંમર વધવા વિશે લખ્યું છે. એક દાયકામાં મેં ભારતને જોયું અને ભારતની નજરથી પોતાને જોયું. Mrs Funnybones Returns – હવે તે મોટી, પહોળી થઈ ગઈ છે… પણ શું વધુ સમજદાર બની છે? Mrs Funnybones અને Welcome to Paradiseમાંથી તમને કઈ બુક વધારે ગમી?”

‘Mrs Funnybones Returns’ સાથે ટ્વિંકલ ખન્ના ફરી એકવાર પોતાના હાસ્યસભર અને સ્પષ્ટ અંદાજમાં વાપસી કરી રહી છે. તેમના ચાહકો છેલ્લા દસ વર્ષથી આ સિક્વલની રાહ જોઈ રહ્યા હતા અને હવે ટ્વિંકલ ફરીથી ‘બેસ્ટસેલિંગ ઑથર’ બનવા તૈયાર છે!

ટ્વિંકલની પહેલી બુક Mrs Funnybones: She’s Just Like You and a Lot Like Me (2015) તેમના કોલમ્સ પર આધારિત હતી, જે સામાન્ય જીવન પર તેમના નિખાલસ અને મજેદાર નજરિયાને કારણે ખૂબ લોકપ્રિય બની હતી. તેમની છેલ્લી બુક Welcome to Paradise પ્રેમ, ગુમાવવું અને જીવનને નવા દ્રષ્ટિકોણથી જોવાની લાગણીસભર કહાની હતી. હવે Mrs Funnybones Returns સાથે ટ્વિંકલ ફરી એકવાર પોતાના લેખનનો જાદુ છલકાવશે.

અત્રે નોંધનીય છે કે આ બુકની લોન્ચ તારીખ હજી જાહેર કરવામાં આવી નથી.

++++++++++

Related posts

ઓનલાઈન એફડી બુકિંગ પ્લેટફોર્મ સ્ટેબલ મનીએ ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણીની ફંડામેન્ટમ પાર્ટનરશીપ પાસેથી ₹173 કરોડ એકત્ર કર્યા

amdavadpost_editor

ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ‘ એક વૃક્ષ મા કે નામ ૨.૦’ અંતર્ગત આનંદમ્ પરિવાર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

amdavadpost_editor

વૈરાગ્ય કેવળ શબ્દ ન રહેતા જીવનનો અનુભવ બની જવો જોઇએ

amdavadpost_editor

Leave a Comment