Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દિલ્હી બ્લાસ્ટમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૩મી નવેમ્બર ૨૦૨૫ — ૧૦ નવેમ્બરની સાંજે, દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કાર બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં ૧૨ નિર્દોષ લોકોના દુઃખદ મોત થયા.

આધ્યાત્મિક ગુરુ અને કથાકાર પૂજ્ય મોરારી બાપુએ આ રાષ્ટ્ર વિરોધી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે.

મૃતકોનાપરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, પૂજ્ય મોરારી બાપુએ તાત્કાલિક સહાય તરીકે દિલ્હી મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ₹180,000 નું દાન કર્યું છે. આ નાણાકીય સહાય મુંબઈમાંરામકથાના શ્રોતા વરુણ ભાઈ દ્વારા મોકલવામાં આવશે.

પૂજ્ય બાપુએ તમામ દેશવાસીઓને ભવિષ્યમાં સતર્ક રહેવા અને આ મુશ્કેલ સમયમાં એકતા જાળવવા અપીલ કરી. તેમણે આ દુ:ખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.

Related posts

વિઝાએ ભારતમાં સાયબર સુરક્ષા તાલીમને મજબૂત કરવા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે ભાગીદારીની જાહેરાત કરી

amdavadpost_editor

આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (EDII), ઇન્ફીબીમ એવન્યુ લિમિટેડ અને ફ્રોનેટિક AI એ AI એક્સેલેરેટર પ્રોગ્રામ શરૂ કરવા માટે સહયોગ કર્યો

amdavadpost_editor

શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન 3.0 – ડ્રગ-ફ્રી ફ્યુચર તરફ રન

amdavadpost_editor

Leave a Comment