Amdavad Post
ગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી અમદાવાદના 8 ક્લબો એ ભેગા મળી ને લીડરશીપ ડેવેલપમેન્ટ પ્રોગ્રામ નું આયોજન કર્યું

રોટરી અમદાવાદ ક્લબના આ પ્રોગ્રામ માં મુખ્ય વક્તા તરીકે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના લાઈફ કોચ અને મોટીવેશનલ સ્પીકર પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામીજી એ લીડરશિપ વિશે પોતાનું જ્ઞાન રોટરીયન સમક્ષ રજુ કર્યું હતું અને જીવનના અનુભવો શેર કર્યા હતા.

પોતાના વ્યક્તવ્યમાં તેમણે સફળ લીડરમાં મુખ્ય કયા ગુણો હોવા જોઈએ તેના વિષે સમજ આપી હતી. સફળ લીડરમાં આશા, હિંમત, પ્રામાણિકતા, સર્વસમાવેશકતા આ 4 ગુણો હોવા જ જોઈએ. લીડર પોતે સ્ટેબલ હોવો જોઈએ અને પોતાની જાત પર કોન્ફિડન્સ હોવો જોઈએ. વ્યક્તિએ કોઈ પણ કાર્ય કરતા પહેલા 100 વાર વિચાર કરી ને પછી જ કરવું જોઈએ પછી ભલે વ્યક્તિ સફળ થાય કે નિષ્ફળ થાય પરંતુ કરેલા કાર્ય પર પસ્તાવો ના થવો જોઈએ.

કોઈ પણ વ્યક્તિ પ્રયત્ન કરે તો બધું જ શક્ય છે. સાથે સાથે તેમણે નાગરિકો ને આગામી લોકસભાની ચૂંટણી માટે ફરજિયાત પણે મતદાન કરવા અપીલ કરી હતી અને આપણો લીડર કેવો હોવો જોઈએ એ વિશે પણ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે જેઓ મતદાન નથી કરી રહ્યા તેમને આગામી 5 વર્ષ સુધી સરકારના શાસન વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. આ પ્રામાણિકતા ભારતના દરેક નાગરિકોએ બતાવવી જોઈએ.

Related posts

LG ઈલેક્ટ્રોનિક્સ પ્રસ્તુત કરે છે એક્સક્લુઝિવ સ્વતંત્રતા દિવસ ઓફર્સ

amdavadpost_editor

ટાટા મોટર્સએ ભારતની સૌપ્રથમ SUV કૌપ સાથે મિડ-SUV સેગમેન્ટમાં હલચલ મચાવી

amdavadpost_editor

કોકા-કોલા ઇન્ડિયાની નેશનલ વિમેન્સ હોકી લીગ માટે હોકી ઇન્ડિયા સાથે સૌ પ્રથમ વખત ભાગીદારી

amdavadpost_editor

Leave a Comment