Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઉતરાખંડની બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

ગુજરાત, અમદાવાદ | ૨૬ નવેમ્બર ૨૦૨૫ — ગત તારીખ ૨૩/૧૧/૨૫ ના દિવસે ઉતરાખંડમાં ગુજરાતના યાત્રાળુઓની બસને અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૫ લોકોનાં મોત નિપજયા છે.

ટીહરી જીલ્લામાં ગુજરાતી શ્રધ્ધાળુઓની બસ ૭૦ ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં કરુણ મોત નિપજયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને હનુમંત સંવેદના રુપે રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી રાહત ફંડ માં જમા કરાવવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

વિશ્વ પ્રસિદ્ધ ફિલોસોફર ઓશોનાં ૯૫માં જન્મોત્સવ પર તેની કર્મભૂમિ જબલપુરથી ૯૬૮મી રામકથાનો આરંભ

amdavadpost_editor

એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ: એમેઝોન બિઝનેસ પર 2 લાખ+ અનન્ય ઉત્પાદનો પર મેળવો 70% સુધીનું ડિસ્કાઉન્ટ

amdavadpost_editor

સોનું: માત્ર મેટલ કરતાં પણ વધુ – ભારતની આત્મામાં વણાયેલી ભાવના

amdavadpost_editor

Leave a Comment