Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જેસલમેર બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૫મી ઓક્ટોબર ૨૦૨૫: ગત દિવસે રાજસ્થાનના જેસલમેર નજીક બસમાં આગ લાગી હતી અને તે ઘટનામાં મળતી માહિતી મુજબ ૨૦ લોકો જીવતા સળગી ગયા હતા. જેસલમેરથી જોધપુર જતી એક ખાનગી બસમાં અચાનક આગ લાગી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર બસમાં ૫૦ જેટલા મુસાફરો પ્રવાસ કરતા હતા. આગ એટલી વિકરાળ બની હતી કે ૨૦ પ્રવાસીઓનાં સ્થળ પર કરુણ મોત નિપજ્યા હતા.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને દિલસોજી આપી છે. પૂજ્ય બાપુએ હનુમંત સંવેદના રુપે રુપિયા ૩,૦૦,૦૦૦ (ત્રણ લાખની) તતકાલ સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુખ્ય પ્રધાન રાહત ફંડ માં જમા કરાવવામાં આવશે. આ વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા શ્રી વરુણ મોદી દવારા કરવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

દિલ્હી-NCR સપ્ટેમ્બર 2024 માટે હાઉસિંગ પ્રાઈસ ઈન્ડેક્સમાં ટોચ પર છે: Housing.com-ISB રિપોર્ટ

amdavadpost_editor

ઓલ ઠંડર, નો શુગર સાથે થમ્સ અપ એક્સફોર્સનું ઝેપ્ટોના પ્રથમ પ્રી-બુકિંગ એક્સક્લુઝિવ પર પદાર્પણ

amdavadpost_editor

TV9 ના સહયોગથી આઇકૉનિક 2025 ટુરિઝમ સમિટ સ્વપ્નદ્રષ્ટા અને લીડર્સને એકસાથે લાવશે

amdavadpost_editor

Leave a Comment