Amdavad Post
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઝાંસી હોસ્પિટલમાં માર્યા ગયેલા બાળકોને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને પરિજનોને સહાય

અમદાવાદ 16 નવેમ્બર 2024: પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે અત્યંત કરુણ બનાવ બનવા પામ્યો છે જેમાં એક હોસ્પિટલની અંદર 10 નવજાત શિશુઓ જીવતા મૃત્યુ પામ્યા છે. ગઈકાલે મઘરાતે બનેલા આ બનાવમાં ઝાંસી સ્થિત રાણી લક્ષ્મીબાઈ હોસ્પિટલના ચીલ્ડ્રનવોર્ડમાં ભયાનક આગ લાગી હતી. એ વોર્ડમાં 39 જેટલાં શિશુઓ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોતજોતામાં આગ વિકરાલ બની હતી અને તે કરુણ ઘટનામાં 10શિશુઓના દુઃખદ મોત નીપજ્યા હતા.

પૂજ્ય મોરારીબાપુને આ સમાચાર પ્રાપ્ત થતા તેમણે આ ઘટનામાં માર્યા ગયેલા તમામ નવજાત શિશુઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય બાપુએ આ ઘટનામાં માર્યા ગયેલા બાળકોના પરિજનોને પ્રત્યેકને રૂપિયા 15,000 લેખે કુલ મળીને રૂપિયા, 1,50,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે વારાણસી સ્થિત શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે.

પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

એબોટ્ટ તેના નવા સર્વે અને “ચક્કર પે ચક્કર” કેમ્પેન સાથે વર્ટીગો અંડરસ્ટેન્ડીંગને આગળ ધપાવે છે

amdavadpost_editor

સ્કોડા ઓટો ઈન્ડિયા પોતાના નવા યુગના ભાગરૂપે ન્યૂ કોર્પોરેટ આઇડેન્ટિટી લાગું કરી

amdavadpost_editor

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ આગામી ડૉ. કલામ, ડૉ. એચજી ખોરાના, ડૉ. એમએસ સ્વામીનાથન અને સર જેસી બોઝની શોધમાં એન્થે 2024 લૉન્ચ કરી

amdavadpost_editor

Leave a Comment