Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

માલિયાસણ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

।। રામ ।।

ગુજરાત, અમદાવાદ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫: અમદાવાદ રાજકોટ હાઇવે પર માલિયાસણ ગામ નજીક ગઈકાલે એક અત્યંત દુઃખદ અકસ્માત થવા પામ્યો હતો અને તેમાં છ લોકોના કરુણ મોત નિપજયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર અને નવાગામનો એક પરિવાર સામાજિક પ્રસંગે ચોટીલા જવા રીક્ષા લઈને નીકળ્યો હતો અને તેમાં એક પરિવારના સભ્યો મુસાફરી કરતા હતા. આ રીક્ષા જ્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ નજીક પહોંચી ત્યારે રોંગસાઈડમાં આવતા એક ટ્રક સાથે અથડાતાંસર્જાયેલા અકસ્માતમાં રીક્ષામાંબેઠેલા ૬ લોકોનાં કરુણ મોત નિપજયા હતાં અને એક વ્યક્તિ ઘાયલ થઈ છે. મૃત્યુ પામેલાઓમાં આઠ માસની બાળકીનો પણ સમાવેશ થાય છે.

              પૂજ્ય મોરારીબાપુએ આ અત્યંત હૃદય દ્રાવક ઘટનામાં માર્યાગયેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 15000 લેખે રૂપિયા 90,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે. અતુલ ઓટોના શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયા છે તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

ટોયોટા કિર્લોસ્કર મોટર એ ટી કેયરની શરૂઆત કરી : ગ્રાહકોની માલિકીનો અનુભવ શ્રેષ્ઠ બનાવવા માટે એક નવી પહેલ

amdavadpost_editor

બીએનઆઈ પ્રોમેથ્યુઅસને વૃદ્ધિના પથ પર માર્ગદર્શન આપવા માટે નવી લીડરશીપ ટીમ

amdavadpost_editor

રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇને ટ્રેઝર હન્ટ 2.0 સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી

amdavadpost_editor

Leave a Comment