Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વિશ્વવિખ્યાત રામકથા વ્યાખ્યાતા મોરારી બાપુનાં ધર્મપત્ની પૂજ્ય શ્રી નર્મદા “બા” નિર્વાણ પામ્યા

ગુજરાત, અમદાવાદ ૧૧ જૂન ૨૦૨૫: વિશ્વવિખ્યાત રામકથા વ્યાખ્યાતા મોરારી બાપુના ધર્મપત્ની નર્મદા “બા” નું મંગળવારે, ૧૦ જૂનના રોજ, વટ સાવિત્રીના દિવસે રાત્રિના સમયે નિધન થયું છે. તેથી, સાધુ સમાજની પવિત્ર પ્રવાહિત પરંપરા મુજબ, કૈલાશવાસી નર્મદાબેનને આજે સવારે ૯ વાગ્યે “સમાધિ” આપવામાં આવી. અહીં સવિશેષ ઉલ્લેખનીય છે કે સાધુ સમાજમાં મૃત્યુને “શુભ પ્રસંગ” માનવામાં આવે છે, તેથી મૃત્યુનો શોક કરવાને બદલે, મૃતાત્માના પાર્થિવ શરીરને આરતી, નગારા, શંખનાદ અને કરતલ ધ્વનિ સાથે “મહાઆરતી નાદ” પૂર્વક “સમાધિસ્થ હેતુ” પરમ વિદાય માન આપવામાં આવે છે.

પૂજ્ય નર્મદા “બા” ને પણ “હરે રામા રામા રામ, સીતારામ રામ રામ રામ…” ના કીર્તન સાથે બાપુના નિવાસસ્થાન “કૈલાસ” ના પરમ પાવન અને પવિત્ર પરિસરમાં સમાધિ આપવામાં આવી.

આ અવસરે ધાર્મિક, સામાજિક અને રાજકીય તેમજ વિવિધ ક્ષેત્રના ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમજ લોકસાહિત્યકાર, વિવિધ ક્ષેત્રના વિશારદ કલાકાર, કથાકાર અને કથાપ્રેમી શ્રોતાઓ તથા તલગાજરડાના ગ્રામજનોની સાથે, સૌ અધિકારી-પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સૌએ મોરારી બાપુને પ્રણામ કરી પોતાની સંવેદના પ્રકટ કરી અને નર્મદા “બા” ની સમાધિસ્થ ચેતનાને “અંતિમ રામ રામ કહ્યા”.

Related posts

17 મી જાન્યુઆરી, 2025ના રોજ યોજાયેલા અમદાવાદ રોડ શોની પોસ્ટ ઇવેન્ટ પ્રેસ રિલીઝ

amdavadpost_editor

આઇકોનિકફર્સ્ટ: માયટ્રાઇડેન્ટે શર્મિલા ટાગોર અને કરીના કપૂર ખાનને એક સાથે લાવીને હોમ ડેકોરના ક્ષેત્રમાં ફરીથી પરિભાષિત કર્યું

amdavadpost_editor

મેજેન્ટા મોબિલિટીએ ટાટા મોટર્સ સાથેના સહયોગને વધુ મજબૂત કર્યો ટાટા એસ ઇવીના 100થી વધુયુનિટ્સ તૈનાત કર્યાં – ભારતના સૌથી અદ્યતન, ઝિરો-ઉત્સર્જન સ્મોલ કમર્શિયલ વ્હીકલ

amdavadpost_editor

Leave a Comment