Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વલસાડ અને અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનેમોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

ગુજરાત, અમદાવાદ | ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬: વલસાડ નજીક કપરાડા તાલુકાના કુંભઘાટ પર એક કરુણ અકસ્માત સર્જાયો હતો જેમાં ૭ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને તે ઘટનામાં મળતી માહિતી મુજબ ૭ લોકોનાં મોત થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યાગયેલાઓનેશ્રધ્ધાંજલિપાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે નવસારી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે.

અકસ્માતની બીજી ઘટના મહેસાણા જિલ્લાના ઉંઝા હાઈવે પર બની છે જેમાં રાજસ્થાનનો પરિવાર વિંખાઈ ગયો હતો જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજયા છે. તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી પૂજ્ય મોરારીબાપુએરુપિયા ૧૫,૦૦૦ લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે.

ત્રીજી ઘટનામાં કોડીનાર પંથકમાં આદપોકર ગામે કૂંડમાં ડૂબી જતાં માતા અને તેમના બે સંતાનોનાં મોત નિપજયા છે. તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી પૂજ્ય મોરારીબાપુએરુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂ બાપુએ પ્રાર્થના કરી છે.

Related posts

દુબઈ રિયલ એસ્ટેટનું ભવિષ્ય ભારતીય ઉદ્યોગસાહસિકો દ્વારા સંચાલિત છે ANAX હોલ્ડિંગના ચેરમેન શ્રી સતીશ સનપાલને આભારી છે

amdavadpost_editor

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુઝુકીના હાંસલપુર પ્લાન્ટથી પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (BEV) ‘ઈ-વિટારા’ને પ્રસ્થાન કરાવી, લિથિયમ આયન બેટરી સેલ અને ઇલેક્ટ્રોડના ઉત્પાદનનો શુભારંભ કરાવ્યો

amdavadpost_editor

HERO MOTOCORPએ EICMA 2024 ખાતે પોતાનું ફ્યુચર મોબિલીટી વિઝન રજૂ કર્યુ

amdavadpost_editor

Leave a Comment