Amdavad Post
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

રામ ચરણની ‘પેડ્ડી’ ફિલ્મમાં જોરદાર ટ્રેન એક્શન સીન – હૈદરાબાદમાં થઇ રહી છે શૂટિંગ

ગુજરાત, અમદાવાદ 18 જૂન 2025: ગ્લોબલ સ્ટાર રામ ચરણ હાલ પોતાની આગામી ફિલ્મ ‘પેડ્ડી’ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આ ફિલ્મના ડિરેક્ટર બુચ્ચી બાબૂ સના ખૂબ ગ્રાન્ડ વિઝન સાથે ફિલ્મ બનાવી રહ્યા છે અને રામ ચરણ એ વિઝનને મોટા પડદા પર ઉતારવા માટે પૂરો જ થઇને લાગ્યા છે. ફિલ્મની પહેલી ઝલક તો આવી કે લોકોને એ જોઈને જ ચર્ચા શરૂ થઇ ગઈ. આ માત્ર રમતગમત પર આધારિત ફિલ્મ નથી, તેમાં ઘણી વિવિધતાથી ભરેલી વાતો છે જે દર્શકોને થિયેટરમાં બેસાડી રાખશે.

ફિલ્મ ખૂબ જ મોટા પાયે બનાવી રહી છે. વેંકટ સત્યશ કિલારુ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે અને મૈથ્રી મૂવી મેઈકર્સ અને સુકુમાર રાઈટિંગ્સ મળીને પ્રેઝન્ટ કરી રહ્યા છે.

હાલમાં ફિલ્મના કેટલાક મહત્વપૂર્ણ સીન ગામના એક ભવ્ય સેટ પર શૂટ થયા છે. હવે હૈદરાબાદમાં બનેલા ખાસ ટ્રેન સેટ પર એક પાવરફુલ ટ્રેન એક્શન સીન શૂટ થઈ રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આવું એક્શન સીન ભારતિય સિનેમામાં આજ સુધી જોવા મળ્યું નથી – બહુજ નવો અને યુનિક!

આ ટ્રેન સીનમાં રામ ચરણ પોતે ડેન્જરસ સ્ટન્ટ્સ કરશે – એ પણ રિયલ એક્શન સાથે. આ માટે જે સેટ બનાવાયો છે તે અવિનાશ કોલ્લા જેવા જાણીતા પ્રોડક્શન ડિઝાઇનર દ્વારા તૈયાર થયો છે. આ સીન ૧૯ જૂન સુધી શૂટ થશે.
આ એક્શન સીનની કોરિયોગ્રાફી કરી રહ્યા છે નબકંઠ માસ્ટર, જેમણે અગાઉ ‘પુષ્પા 2’ અને આ ફિલ્મમાં ક્રિકેટ શૉટ ડિઝાઇન કર્યો છે. તેઓ આ ફિલ્મ માટેનું સૌથી મોટું અને ચેલેન્જિંગ એક્શન સીન તૈયાર કરી રહ્યા છે.

ફિલ્મમાં જાહ્નવી કપૂર મુખ્ય અભિનેત્રી તરીકે છે. તેમના સાથે શિવા રાજકુમાર, જગપતી બાબૂ અને દિવ્યેંદુ શર્મા જેવા એક્ટર્સ પણ જોવા મળશે.

ફિલ્મના છાયાંકન માટે છે આર. રત્નવેલુ, સંગીત આપી રહ્યા છે ઓસ્કાર વિજેતા એ.આર. રહમાન, એડિટિંગની જવાબદારી છે નેશનલ એવોર્ડ વિજેતા નવીન નૂલી પાસે, અને સેટ ડિઝાઇન કરી રહ્યા છે અવિનાશ કોલ્લા.
‘પેડ્ડી’ ૨૭ માર્ચ ૨૦૨૬ના રોજ રિલીઝ થશે, જે રામ ચરણનો જન્મદિવસ પણ છે.

ફિલ્મ લખી અને ડિરેક્ટ કરી છે બુચ્ચી બાબૂ સનાએ. તે પ્રેઝન્ટ કરી રહી છે મૈથ્રી મૂવી મેઈકર્સ અને સુકુમાર રાઈટિંગ્સ, અને પ્રોડ્યુસ કરી રહ્યા છે વેંકટ સત્યશ કિલારુ. માર્કેટિંગ છે First Show પાસે અને પીઆર હેન્ડલ કરી રહ્યા છે વામસી-શેખર.

આ ફિલ્મ ઇમોશન, એક્શન અને ગ્રાન્ડ વિઝ્યુલ્સનું દમદાર મિશ્રણ છે – જે થિયેટરમાં એક જુદો જ અનુભવ આપશે!

Related posts

પૂજ્ય મોરારી બાપુએ ચિત્રકૂટથી રામભક્તોને સંબોધ્યા, “રામયાત્રા”નો શુભારંભ કર્યો.

amdavadpost_editor

સેમસંગ દ્વારા 2025 સુધી 20,000થી વધુ શિક્ષકોની કુશળતા વધારવા માટે અજોડ સમુદાય પ્રેરિત કાર્યક્રમ ‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’ લોન્ચ કરાયો

amdavadpost_editor

ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ પ્રાપ્ત થાય છે. – શ્રી મોરારિબાપુ

amdavadpost_editor

Leave a Comment