Amdavad Post
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મૂર્તિ વિસર્જન દરમિયાન માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

ગત દિવસોમાં પ્રાપ્ત માહિતી અનુસાર ઠેરઠેર ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલ પાટણ નજીક સરસ્વતી નદીના પ્રવાહમાં ચાર લોકોનાં ડૂબી જતાં મોત નિપજયા હતા. એક અન્ય ઘટનામાં ગઈકાલે ગાંધીનગર ખાતે દેહગામમાં મેશ્વો નદીના પ્રવાહમાં ૧૦ લોકો ડૂબી ગયા હતા જે પૈકી ૮ના મૃતદેહો મેળવવામાં આવ્યા છે અને બેની શોધખોળ કરવામાં આવી રહી છે. 

મૂર્તિ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જતાં કુલ મળીને ૧૪ લોકોનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૧૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કલોલમાં રહેતા રામ કથાના શ્રોતાઓ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

અવાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર વધારાના સામાનની સેવાઓ શરૂ કરવામાં આવી

amdavadpost_editor

જાણો રામ ચરણની પત્ની ઉપાસના અને ક્લિંકારા વચ્ચે શું સમાનતા છે – ઉપાસનાએ શેર કર્યો એક ખાસ વીડિયો

amdavadpost_editor

આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) દ્વારાઆંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસના સેલિબ્રેશનમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઇનોવેશન પર પેનલ ડિસ્કશનનું આયોજન કર્યું

amdavadpost_editor

Leave a Comment