Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ત્રાપજ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

17મી ડિસેમ્બર 2024: ગત વહેલી સવારે ભાવનગર જીલ્લાના ત્રાપજ ખાતે સુરત થી રાજુલા જઈ રહેલી એક ખાનગી બસનો ભયાનક અકસ્માત થયો હતો. એપલટ્રાવેલ ની બસ સુરત થી રાજુલા જઈ રહી હતી ત્યારે ત્રાપજ ખાતે એક ડમ્પર બંધ હાલતમાંઉભું હતું તેની સાથે અથડાતાંસર્જાયેલા અકસ્માતમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૬ લોકોનાં કરુણ મોત નિપજયા છે અને અનેક લોકોને ઈજા પહોંચી છે. અકસમાત થયો તે સમયે હાઈવે ચિચિયારીઓ થી ગાજી ઊઠ્યો હતો. આ અત્યંત દુઃખદ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

આ સિવાય થોડા દિવસ પહેલાં નારી નજીક અકસ્માતમાં એક સાધુ યુવકનું મોત નિપજ્યું હતું તેમના પરિવારજનોને પણ રુપિયા પંદર હજાર ની સહાયતા રાશિ પૂજ્ય બાપુએ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

કાઈનેટિક ગ્રીન દ્વારા 2-વ્હીલરના બિઝનેસના પ્રેસિડેન્ટ તરીકે જયપ્રદીપ વાસુદેવનની નિયુક્તિ સાથે આગામી તબક્કાની વૃદ્ધિ પ્રેરિત કરવા માટે આગેવાની મજબૂત બનાવવામાં આવી

amdavadpost_editor

ટાટા મોટર્સે તાજેતરમાં સમાપ્ત થયેલા દેશ કા ટ્રક ઉત્સવ 2.0માં તેની શ્રેષ્ઠ અને ઇંધણ-કાર્યક્ષમ ILMCV રેન્જને હાઇલાઇટ કરી

amdavadpost_editor

ટાટા મોટર્સે ઈલેક્ટ્રિક લાસ્ટ- માઈલ મોબિલિટી ઓફરને વિસ્તારીઃ સંપૂર્ણ નવી ટાટા એસ ઈવી 1000 લોન્ચ કરી

amdavadpost_editor

Leave a Comment