Amdavad Post
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીમનોરંજનરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા રીવરફ્રન્ટ પર 8ડિસેમ્બરે ચેરીટી માટે સાયક્લોથન યોજાશે

ગુજરાત, અમદાવાદ 05 ડિસેમ્બર 2024: અમદાવાદના રમણીય રિવરફ્રન્ટ ખાતે સાયક્લોથોનનું આયોજન ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા તારીખ 8ડિસેમ્બરે2024રવિવારના રોજ રીવરફ્રન્ટ કોચરબ આશ્રમથી કરવામાં આવશે. આ ઈવેન્ટ માટે ઓપન ફોર ઓલ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સાયકલ ચલાવી ચેરીટીઈવેન્ટનો ભાગ બનશે આ સાથે શિયાળામાં સાયકલિંગ થકી કસરત કરીને લોકોને ફિટ રહેવનો મેસેજ પણ આપશે. સાયક્લોથોનનો ઉદ્દેશ્ય દિકરીઓના શિક્ષણ માટે જાગૃતિ અને ચેરીટીરેઈઝ કરવાનો છે, આ રકમ જરૂરીયાતમંદમહિલાઓના શિક્ષણ માટે ઉપયોગ કરાશે.

ઈવેન્ટ દ્વારા સાયકલિંગઉત્સાહીઓ, ફિટનેસ ઉત્સાહીઓ અને કન્યા કેળવણી પ્રત્યે_ઉત્સાહી કોઈ પણને સાયક્લોથોનમાં રજીસ્ટ્રેશન કરાવી ભાગ લઈ શકશે. એનજીઓની વેબસાઇટ અને સોશિયલમીડિયા પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશનની વિગત ઉપલબ્ધ છે. નોંધણી અને ચેરીટી માટે 8401281256 તથા usfvadodara@udayancare.org સંપર્ક કરી શકાશે. પેડલિંગ કરીને જરૂરીયાતમંદ દિકરીઓના જીવનમાં પરિવર્તન લાવવા માટે રીવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો સાયકલિંગ કરશે.

Related posts

સેમસંગ ગેલેક્સી AIની ભાવિ પેઢી રજૂ કરે છેઃ 10 જુલાઈએ નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન્સના લોન્ચ કરશે

amdavadpost_editor

Amazon.inની સંગાથે તમારી દિવાળીની ઉજવણીમાં ઉજાસ ફેલાવો

amdavadpost_editor

પ્રાચિન જાવાનીઝ સભ્યતા અને રામાયણી સનાતની દેશ ઇન્ડોનેશિયાની ભૂમિ પરથી ૯૪૧મી રામકથાનો મંગલ પ્રારંભ

amdavadpost_editor

Leave a Comment