Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

દીકરી સન્માન અને વસ્ત્રદાનથી ગુંજ્યું બાલાજી હનુમાન મંદિર

શ્રાવણ માસ અને રક્ષાબંધન નિમિત્તે ૬થી ૨૧ વર્ષની દીકરીઓ માટે અનોખું સેવાકાર્ય

અમદાવાદ, ગુજરાત | ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ | પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે શ્રી બાલાજી હનુમાન મંદિર પરિવાર દ્વારા અનોખા સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના મેમદાબાદ ના દેસરા ખાતે આવેલ,મંદિર પરિવારના ટ્રસ્ટી શ્રીમતી જાગૃતિબેન મનિષકુમાર ત્રિવેદીના પ્રયાસોથી ૬થી ૨૧ વર્ષની દીકરીઓને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું.

આ સેવાકાર્ય શ્રી જગન્નાથજી મંદિરના મહંત તથા જગદ્દગુરુ શ્રી દિલીપદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસમાં યોજાયેલા આ સેવાકાર્ય દ્વારા ‘માનવ સેવા એ જ માધવ સેવા’ની ભાવનાને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર નથી, પરંતુ સમાજની દીકરીઓ પ્રત્યે સન્માન, પ્રેમ અને જવાબદારી વ્યક્ત કરવાનો પણ અવસર છે. આ ભાવના સાથે મંદિર પરિવાર દ્વારા દીકરીઓના સન્માન અને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

મંદિર પરિવારની ભાવના છે કે સમાજની દરેક દીકરીને સન્માન, પ્રેમ અને પ્રોત્સાહન મળે. વસ્ત્રદાન દ્વારા દીકરીઓને માત્ર ઉપયોગી વસ્તુ આપવામાં આવી નથી, પરંતુ તેમના પ્રત્યે સન્માન અને લાગણીનો સંદેશ પણ આપવામાં આવ્યો છે.

== સમાપ્ત ==

Related posts

કૌશલ્યમાં સશક્તતા, સ્પર્ધામાં વધારો અને ભારતીય ઉદ્યોગમાં ગુણવત્તા માટે પ્રોત્સાહન

amdavadpost_editor

મોદી સરકાર કાશ્મીરના ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવા માટે કટિબદ્ધ છે અને આપણે જે ગુમાવ્યું છે તે ટૂંક સમયમાં પાછું મેળવીશું : અમિત શાહ

amdavadpost_editor

ટાટા મોટર્સે ઓલ ન્યૂ એસ ગોલ્ડ+ XL લોન્ચ કરી; ‘ઇક્કિસ સાલ બેમિસાલ’ ઝુંબેશ સાથે 21 વર્ષની પ્રગતિની પુષ્ટિ કરી

amdavadpost_editor

Leave a Comment