Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અકસ્માતમાં માર્યા ગયેલા ગુજરાત પોલીસના જવાનોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

।। રામ ।।

ગુજરાત, અમદાવાદ 29 માર્ચ 2025: પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસના જવાનોને હરિયાણા ખાતે અકસ્માત નડયો હતો અને તેમાં ત્રણ જવાનોના કરુણ મોત નિપજયા છે. આ ઘટનાની વિગત એવી છે કે બે દિવસ પહેલા એક ગુનાની તપાસ કરવા માટે અમદાવાદથી ગુજરાત પોલીસના અધિકારીઓ પંજાબ જઈ રહ્યા હતા અને તે દરમિયાન હરિયાણાના સિરસા નજીક એક ટ્રક સાથે પોલીસનું વાહન ધડાકાભેર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ કર્મચારીઓના મોત નિપજયા છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા આ કર્મચારીઓ ગમખ્વાર અકસ્માતમાં માર્યા ગયા છે.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. અમદાવાદ સ્થિત રામકથાના શ્રોતા શ્રી જીગરભાઈ પટેલ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

ટાટા મોટર્સે 250 ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા ડેલ્ટા ઇલેક્ટ્રોનિક્સ અને થન્ડરપ્લસ સોલ્યુશન્સ સાથે એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યાં

amdavadpost_editor

એનીટાઇમ ફિટનેસ દ્વારા કુડાસણ, ગાંધીનગરમાં નવા જીમનો શુભારંભ; ગુજરાતમાં વધુ 19 જીમ ખોલવાની યોજના

amdavadpost_editor

વિશ્વ વિખ્યાત પવિત્ર જૈન સ્થાનની તીર્થભૂમિ પાલીતાણાનાં આંગણે પાંચ દશક બાદ મોરારિબાપુની રામકથાનો દિવ્ય આરંભ

amdavadpost_editor

Leave a Comment