Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળી

અમદાવાદ ૦૧ એપ્રિલ ૨૦૨૫: મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝુલેલાલના ૧૦૭૫માં પ્રાગટ્ય વર્ષે તારીખ ૩૦/૦૩/૨૫ રવિવારના રોજ  ચેટીચંડના પાવન તહેવાર નિમિતે મણિનગર સિંધી માર્કેટથી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે મણિનગર માર્કેટ બપોરે ૪ કલાકે પ્રારંભ થઈ મણિનગર સ્ટેશન, મણિનગર ક્રોસિંગ, દક્ષિણી સોસાયટી, ગુડલક સોસાયટી, નેતાજી સોસાયટી, જયહિન્દ ચાર રસ્તા, જવાહર ચોક, ભૈરવનાથ, પુષ્પકુંજ થઈ ઝુલેલાલ ઓપનએર થિયેટર ખાતે આશરે 6 કિલોમીટર જેટલા એરિયામાં ફરીને અંદાજે રાત્રે ૧૦ વાગે પૂર્ણ થઇ હતી.

આ શોભાયાત્રામાં કુલ 40 જેટલા ટ્રકો સાથે સહભાગી ૧૩ મંડળો દ્વારા અંદાજે ૧૩ જેટલી ઝાંખીઓ, ૨૭ પ્રસાદીના ટ્રક તથા બહેરાણા સાહેબની જ્યોત સાહેબ, ૧૩ જેટલા ગ્રુપ પુરુષોની છેજ, ૮ જેટલા ગ્રુપ મહિલાઓ ની છેજ તથા અનેક ભાવિભક્તો આ શોભાયાત્રામાં ભાવપૂર્વક જોડાયા હતા. આ શોભાયાત્રામાં અત્યારના કરંટ અફેરને લગતા સામાજિક સંદેશાઓ પણ ફેલાવ્યા હતા.

આ શોભાયાત્રા કાર્યક્રમમાં ધારાસભ્ય, સ્થાનિક કાઉન્સિલરો અને અન્ય રાજકીય આગેવાનો તથા સિંધી સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Related posts

પ્રાચિન જાવાનીઝ સભ્યતા અને રામાયણી સનાતની દેશ ઇન્ડોનેશિયાની ભૂમિ પરથી ૯૪૧મી રામકથાનો મંગલ પ્રારંભ

amdavadpost_editor

ભારતની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદન્ના પર્સનલ સ્ટાઈલ અને સ્વઅભિવ્યક્તિના પ્રચાર માટેની ક્રોક્સ પરિવારની વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બની છે.

amdavadpost_editor

ફાર્મા ઇનોવેશનના ભવિષ્યને દર્શાવવા માટે 17મો ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સ્પો

amdavadpost_editor

Leave a Comment