Amdavad Post
એજ્યુકેશનગુજરાતબિઝનેસમોટીવેશનરાષ્ટ્રીયહેડલાઇન

ડૉ. રૂપેશ વસાણી સ્વામિનારાયણ યુનિવર્સિટી, કલોલના કુલપતિ તરીકે નિમાયા

ગુજરાત, અમદાવાદ ૧૪ જૂન ૨૦૨૫: ગુજરાતના જાણીતા ટેકનિકલ શિક્ષણવિદ્, ઇનોવેશન અને સંશોધનમાં અગ્રગણ્ય યોગદાન આપનાર ડૉ. રૂપેશ પરમાનંદ વસાણીની સ્વામિનારાયણ યુનિવર્સિટી, કલોલના કુલપતિ, પ્રોવોસ્ટ તરીકે નિયુક્તિ થયેલી છે.

ડૉ. વસાણી પાસે 33 વર્ષથી વધુનો શિક્ષણ અને ઉદ્યોગ અનુભવ છે જેમાં 27 વર્ષ ઉચ્ચ શિક્ષણમાં અને 18 વર્ષથી વધુ સમય ડાયરેક્ટર-પ્રિન્સિપલ તરીકેનો સમાવેશ થાય છે. તેઓ SAL એજ્યુકેશન કેમ્પસ, અમદાવાદના ડિરેક્ટર રહી ચૂક્યા છે અને યુરોપિયન ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના પ્રોફેસર એમેરિટસ તરીકે પણ સેવા આપે છે.

તેમણે અત્યારસુધીમાં:

  • 300થી વધુ પેટન્ટ ફાઇલ, 135થી વધુ પબ્લિશ અને 8 ગ્રાન્ટેડ
  • 150+ ટેક્નિકલ પેપર પબ્લિશ, 10 થી વધુ ટેક્નિકલ પુસ્તકો લખ્યા
  • પીએચ.ડી. વિદ્યાર્થીઓને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે
  • GTUમાં SSIP પોલિસી, ઇનોવેશન કાઉન્સિલ અને નવા કોર્સો શરૂ કરવાના માર્ગદર્શક
  • 30+ દેશોમાં આંતરરાષ્ટ્રીય વ્યાખ્યાન આપેલા

તેમને “ગુજરાત આઈકન એવોર્ડ” (2020, 2022), ઓમ આશ્રમ રિસર્ચ એવોર્ડ, Limca Book of Records તથા IP Hall of Fame જેવા અનેક પુરસ્કારો દ્વારા નવાજવામાં આવ્યા છે.

ડૉ. વસાણીની નવી જવાબદારી સાથે સ્વામિનારાયણ યુનિવર્સિટીને વ્યાપક શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે નેતૃત્વ કરીને યુનિવર્સિટીને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

Related posts

બેંગલુરુ પોલીસે 5.5 કરોડ રૂપિયાના ઈ-કોમર્સ ફ્રોડનો પર્દાફાશ કર્યો, ગુજરાત સ્થિત 3 આરોપીઓની અટકાયત કરી

amdavadpost_editor

સેમસંગ ટીવી પ્લસ ઈન્ડિયા દ્વારા વોર્નર બ્રધર્સ ટેલિવિઝનમાંથી પાંચ એક્સક્લુઝિવ ફાસ્ટ ચેનલ્સ રજૂ કરે છે

amdavadpost_editor

ભારતની નેક્સ્ટ-જનરેશન ઇલેક્ટ્રિકલ ક્રાંતિના પ્રારંભનું પ્રતીકઃ ઇલેક્રામા 2025

amdavadpost_editor

Leave a Comment