Amdavad Post
અવેરનેસગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

મધ્યસ્થ દર્શન પર આધારિત જીવન વિદ્યા પ્રબોધકો, શ્રી સોમ ત્યાગીએ આધુનિક જીવનશૈલી પર પુનર્વિચાર કરવાની અપીલ કરી

ગુજરાત, અમદાવાદ | ૧૪ જુલાઈ ૨૦૨૫: પ્રખ્યાત પ્રબોધક શ્રી સોમ ત્યાગીએ વિચારપ્રેરક પ્રવચનમાં શ્રોતાઓને થોભીને અને એ પેટર્નની તપાસ કરવા માટે આમંત્રિત કર્યા જે તેમની રોજિંદી પસંદગીઓ અને તેમના જીવનની વ્યાપક દિશાને માર્ગદર્શન આપે છે.

“જીના ઉત્સવ પૂર્વક” નામના કાર્યક્રમમાં શ્રોતાઓને વારંવાર પૂછાતા ન હોય તેવા પ્રશ્ન પર ચિંતન કરવા વિનંતી કરવામાં આવી હતી કે “તમારા જીવનનું અલ્ગોરિધમ શું છે?” અગ્રહાર નાગરાજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને આનંદ નિકેતન ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા સમર્થિત આ સેશનમાં વિવિધ લોકોએ ભાગ લીધો હતો.

મહિલા સશક્તિકરણ, વિકસિત આકાંક્ષાઓ અને ભૌતિકવાદના ઉદય જેવા વિષયોને સંબોધતા, ત્યાગીએ પ્રકાશ પાડ્યો કે કેવી રીતે સમાજની સફળતાના બાહ્ય પ્રદર્શન પર વધતી જતી નિર્ભરતાએ ભાવનાત્મક તાણાવાણાને ઢાંકી દીધું છે જે એક સમયે સંબંધોને એક સાથે રાખતો હતો. તેમણે લાગણીઓ અને લોકો પર મૂકવામાં આવતા ઘટાડાવાળા મૂલ્ય અને આ પરિવર્તન ખંડિત સંબંધો અને વધતા એકલતામાં કેવી રીતે પ્રગટ થઈ રહ્યું છે એ અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું કે, “આજે આપણે વધુ વસ્તુઓ, વધુ ઓળખ, વધુ વિક્ષેપો પાછળ દોડવા માટે કન્ડિશન્ડ છીએ. પરંતુ આમ કરવાથી આપણે ઘણીવાર જાગૃતિ, ઉદ્દેશ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ સાથે જીવાતા જીવનથી દૂર જઈ રહ્યા છીએ,”.

તેમણે સહભાગીઓને બાહ્ય માન્યતાને બદલે અસ્તિત્વના નિયમો સાથે સુસંગત જીવન જીવવાની સરળ, વધુ સભાન રીતો પર વિચાર કરવા પ્રોત્સાહિત કર્યા.

અગ્રહર નાગરાજ ફાઉન્ડેશનના પ્રમુખે જણાવ્યું હતું કે, “આ ચર્ચામાં વ્યક્તિ અને સમાજ બંનેને પોષણ આપતા મૂલ્યોના આધારે આપણા જીવનને પુનર્નિર્માણ કરવા માટે મહાન સમજ આપવામાં આવી હતી. વધતા ઉપભોક્તવાદ અને ખંડિત સંબંધોના સમયમાં આવી ચર્ચાઓ જરૂરી છે.”

આ ઇન્ટરેક્ટિવ સેશનમાં શ્રોતાઓને તેમના વિચારો પર ચર્ચા કરવા, વિચારોને શેર કરવા તેમજ સાથે જોડાવવાની એક તક મળી હતી.

Related posts

રાજકોટના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના 7 વિદ્યાર્થીઓ NEET UG 2024 માં ટોપ સ્કોરર બન્યા

amdavadpost_editor

રાજસ્થાનમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadpost_editor

એમેઝોન ફેશનનો નેક્સ્ટ જેન સ્ટોર લાવ્યો 3 ગણો વૃદ્ધિ જેન ઝી શોપર્સમાં, ટિયર-ટુ શહેરોમાં 4 ગણો ઉછાળો

amdavadpost_editor

Leave a Comment