Amdavad Post
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખોઃ પૂજ્ય મોરારી બાપૂ

કબીરવડ, ભરૂચ 09મી જાન્યુઆરી 2025: પરમ પૂજ્ય મોરારી બાપૂએ ભરૂચ પાસે કબીરવડમાં આયોજિત રામકથા – માનસ કબીર વેદના પાંચમાં દિવસે ઉપસ્થિતિ શ્રોતાઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, તમારા બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખજો. આ આપણા સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે. આપણા પાઠ્યપુસ્તકોમાં આવું કંઇ આવવા દીધું નથી, પરંતુ હવે થોડું-થોડું સારું થતું જાય છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ કોઇ એક ધર્મના ગ્રંથો નથી, પરંતુ તે ભારતની આંખો છે. આપણા દેશના નેત્રો છે, જેનાથી આપણે સમગ્ર વિશ્વને જોઇએ છીએ. નેત્રની વાત કરવી એ બીજા કોઇ ધર્મની નિંદા નથી. કોઇને તકલીફ ન થતી હોય તો આમ કરવું જોઇએ. બાળકો જ્યારે આ નેત્રોથી વિશ્વને જોશે ત્યારે આ વિશ્વમાં કોઇ તકરાર નહીં હોય, કોઇ યુદ્ધ નહીં હોય, કોઇ વિભાજન નહીં હોય.

Related posts

સત્યને શપથની, પ્રેમને અરથની અને કરુણાને ગરથની જરૂર નથી.

amdavadpost_editor

ડાયાબિટીઝને નાથવાની સાથે તમારા હૃદયનું રક્ષણ કરવાની માર્ગદર્શિકા

amdavadpost_editor

બેટથી લઈને પુસ્તકો સુધી: SPL ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બ્રાઇટ ફ્યુચર્સને સપોર્ટ કરે છે

amdavadpost_editor

Leave a Comment