Amdavad Post
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખોઃ પૂજ્ય મોરારી બાપૂ

કબીરવડ, ભરૂચ 09મી જાન્યુઆરી 2025: પરમ પૂજ્ય મોરારી બાપૂએ ભરૂચ પાસે કબીરવડમાં આયોજિત રામકથા – માનસ કબીર વેદના પાંચમાં દિવસે ઉપસ્થિતિ શ્રોતાઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, તમારા બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખજો. આ આપણા સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે. આપણા પાઠ્યપુસ્તકોમાં આવું કંઇ આવવા દીધું નથી, પરંતુ હવે થોડું-થોડું સારું થતું જાય છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ કોઇ એક ધર્મના ગ્રંથો નથી, પરંતુ તે ભારતની આંખો છે. આપણા દેશના નેત્રો છે, જેનાથી આપણે સમગ્ર વિશ્વને જોઇએ છીએ. નેત્રની વાત કરવી એ બીજા કોઇ ધર્મની નિંદા નથી. કોઇને તકલીફ ન થતી હોય તો આમ કરવું જોઇએ. બાળકો જ્યારે આ નેત્રોથી વિશ્વને જોશે ત્યારે આ વિશ્વમાં કોઇ તકરાર નહીં હોય, કોઇ યુદ્ધ નહીં હોય, કોઇ વિભાજન નહીં હોય.

Related posts

એપિલેપ્સી અને મેન્ટલ હેલ્થ : ચિંતા, ડિપ્રેશન અને ભાવનાત્મક સુખાકારી નું નિવારણ

amdavadpost_editor

બદલાતી વૈશ્વિક ગતિશીલતાઓ વચ્ચે નેતૃત્વના વીસ વર્ષ: આર્સેલર-મિત્તલના એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલે વીડિયો સંબોધન સાથે 20મી વર્ષગાંઠ ઉજવી, ભારતને વૈશ્વિક વિકાસના મુખ્ય પ્રેરક તરીકે ગણાવ્યું

amdavadpost_editor

શહેરના હાર્દમાંથી નવા કોરિડોરમાં પ્રયાણ: વર્ષ 2026 વડોદરા શહેરને આપશે કેવો ઓપ

amdavadpost_editor

Leave a Comment