Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રાજસ્થાનની શાળા દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૨૬ જુલાઈ ૨૦૨૫: રાજસ્થાનમાં ઝાલાવાડ જીલ્લામાં ગઈકાલે એક કરુણ ઘટના બની હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૭ બાળકોનાં મોત નિપજયા હતા. મળતી વિગતો અનુસાર રાજસ્થાનના ઝાલાવાડ જીલ્લામાં પીપલોદ ગામમાં ગઈકાલે સવારે એક પ્રાથમિક શાળાના વર્ગખંડનો સ્લેબ તૂટી પડ્યો હતો અને તેને કારણે વર્ગમાં બેઠેલાં અનેક બાળકો કાટમાળમાં દબાઈ ગયાં હતા. તે પૈકી સાત બાળકોનાં મોત નિપજયા હતા. આ કરુણ ઘટનામાં અનેક બાળકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલા નિર્દોષ બાળકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ રાશિ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક રામકથાના શ્રોતા ની સહાયતા લઈ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

સ્કિલ ઓનલાઇન ગેમ્સ ઇન્સ્ટિટ્યૂટ (એસઓજીઆઇ)એ ગુજરાત અને સમગ્ર ભારતમાં જવાબદારી ભર્યા ગેમિંગ અને ઇન્ડસ્ટ્રીની વૃદ્ધિની હિમાયત કરી

amdavadpost_editor

ટાટા મોટર્સે ઉત્તર પ્રદેશમાં પગ મૂકયો; એક વર્ષમાં UPSRTC તરફથી ત્રીજો બસ ચેસીસ ઓર્ડર મળ્યો

amdavadpost_editor

ભારતીય ગ્રાહકો તહેવારો માટે ઑનલાઇન ખરીદીના વિકલ્પો શોધી રહ્યાં છે; મોટાભાગના લોકો (73%) એમેઝોનને વિશ્વાસપાત્ર અને પસંદગીનું ઑનલાઇન શોપિંગ ડેસ્ટિનેશન માને છે

amdavadpost_editor

Leave a Comment