Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગંભીરા પૂલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૦ જુલાઈ ૨૦૨૫ — તારીખ ૯/૭/૨૫ ની વહેલી સવારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગંભીરા ગામ પાસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો પુલ તૂટી પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મહી નદી પર આવેલ આ પૂલ અચાનકજ તૂટી પડતાં તયાંથી પસાર થઈ રહેલા લોકો અને વાહનો નદીમાં ગરકાવ થઈ ગયા હતા. નદીમાં પાણી તથા કાદવ હોવાને કારણે આ લખાયું છે તે દરમિયાન મળતી માહિતી મુજબ ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા છે. આ દુર્ઘટનામાં માર્યાગયેલાઓને પૂજ્ય મોરારીબાપુએશ્રધ્ધાંજલિપાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૨૫, ૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. વડોદરા સ્થિત રામકથાના શ્રોતા શ્રી રાજુભાઇ દોશી દ્વારા આ વિતિય સેવા પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ કરુણ ઘટનામાં માર્યાગયેલાઓના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

વી- ગાર્ડના અધ્યયનમાં લો વોલ્ટેજ એસી પાવર ઉપભોગ 50 ટકા સુધી કઈ રીતે વધારે છે તે બહાર આવ્યું

amdavadpost_editor

સેમસંગ દ્વારા નવરાત્રિના સમયગાળામાં સ્માર્ટફોન્સ, પ્રીમિયમ ટેલિવિઝન અને હોમ એપ્લાયન્સીસનું વિક્રમી વેચાણ

amdavadpost_editor

સેમસંગ દ્વારા ભારતમાં હોમ એપ્લાયન્સીસ માટે વોરન્ટી પ્લાન સમાવિષ્ટ કરવા સેમસંગ કેર+ સર્વિસનું વિસ્તરણ

amdavadpost_editor

Leave a Comment