Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વિવિધ સ્થળોએ અકસ્માતમાં પ્રાણ ગુમાવ્યા તેમને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ, ગુજરાત | ૧૬ માર્ચ ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર નેપાળમાં બસ દુર્ધટનામાં ૭ લોકોનાં કરુણ મોત નિપજયા છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ પ્રસિદ્ધ મનકામના મંદિરમાં દર્શન કરી બસ પરત કાઠમાંડુ ફરી રહી હતી ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકતા ૭ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં પણ આ દિવસોમાં અકસ્માતો સર્જાયા હતા અને તેમાં પણ ઘણા લોકોના અકાળે અવસાન થયાં છે. મહુવાનો ખલાસી પોરબંદરના દરિયામાં ડૂબી જતાં મ્રુત્યુ પામેલ. નાના ખૂંટવડા ના બે તરુણોના અકસ્માતમાં મોતને ભેટ્યા હતા અને ઉમરાળા તાલુકાના જાળીયા ખાતે ત્રણ યુવાનોની જીંદગી અકસ્માતમાં હોમાઈ ગઈ હતી. પૂજ્ય મોરારીબાપુએ આ સૌને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે.

Related posts

પ્રતિષ્ઠિત AIFF નો A લાયસન્સ કોર્સ ARA ખાતે સમાપ્ત થાય છે

amdavadpost_editor

ફર્ટિવિઝન 2024 નું ફર્ટિલિટી કેર અને એઆરટી પર અમૂલ્ય આંતરદૃષ્ટિ સાથે સમાપન થયું

amdavadpost_editor

ટીન એકાઉન્ટ સુરક્ષા અને બાળ સુરક્ષા સુવિધાઓનો વિસ્તાર કરવો

amdavadpost_editor

Leave a Comment