Amdavad Post
ગુજરાતરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

ગુજરાતની યુવા નૃત્યાંગના ચિ. અનેરીએ ભરતનાટ્યમ આરંગેત્રમ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા

અમદાવાદ, ગુજરાત | ૧૩મી મે ૨૦૨૬ | નૃત્યભારતી એકેડેમીના સંસ્થાપક કલાગુરુ શ્રીમતિ ઇલાક્ષીબેન ઠાકોરના આશીર્વાદથી અને ગુરુ શ્રી ચંદન ઠાકોર તથા શ્રીમતિ નિરાલી ઠાકોરના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ, અમદાવાદના તબીબ દંપતિ ડૉ.વાચા શાહ અને ડૉ. કુંતલ શાહની સુપુત્રી, ચિ.અનેરીનું ભરતનાટ્યમ આરંગેત્રમ, ટાગોર હોલ, અમદાવાદ ખાતે તાજેતરમાં સંપન્ન થયેલ છે.

ઉદગમ સ્કુલની વિદ્યાર્થીની અનેરીએ ૧૩ વર્ષની નાની વયે આ સિધ્ધિ મેળવી આપણી પ્રાચિન નૃત્યકલાનો વારસો જાળવી ગુજરાતનું નામ પણ રોશન કરેલ છે. આવનાર વર્ષોમાં તેની આ નૃત્ય સાધના આગળ વધે તેવી શુભેચ્છા.

Related posts

કોક સ્ટુડિયો ભારતનું ‘બુલિયા વે’ બુલ્લે શાહના વારસાને નવી પેઢી સુધી લાવે છે

amdavadpost_editor

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી ટેબ એક્ટિવ 5 લોન્ચઃ ઉદ્યોગના કાર્યબળ માટે નિર્મિત મજબૂત, 5G- એનેબલ્ડ ટેબ્લેટ

amdavadpost_editor

વફાદારીનો નવો યુગ શરૂ થાય છે: મેરિયોટ બોનવોય અને ફ્લિપકાર્ટ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી, ભારતીય ગ્રાહકો માટે અતુલનીય મૂલ્ય અને અનુભવની દુનિયાને ખુલ્લી મુકે છે

amdavadpost_editor

Leave a Comment