Amdavad Post
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

માળીયા હાટીના નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ 10 ડિસેમ્બર 2024: અખબારી રિપોર્ટ અનુસાર ગઈકાલે જુનાગઢ જિલ્લામાં માળીયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ ઘટનામાં ૭ લોકો માર્યા ગયા છે. કેશોદ નજીક ના ગામે રહેતા આશાસ્પદ યુવાનો પરીક્ષા આપવા માટે જતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં ૭ યુવાનોના મોત નિપજયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. એ ઉપરાંત ગત સપ્તાહે ભાવનગર ના એક યુવાનનું પણ અકસ્માતમાં મોત નિપજયું હતું તેના પરિવારને પણ રુપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે. બંને ઘટનામાં કુલ મળીને રુપિયા ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

એડિડાસ અને બીસીસીઆઈએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે તમામ નવી ટીમ ઈન્ડિયા ઓડીઆઈ જર્સીનું અનાવરણ કર્યું

amdavadpost_editor

મોદી સરકાર કાશ્મીરના ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવા માટે કટિબદ્ધ છે અને આપણે જે ગુમાવ્યું છે તે ટૂંક સમયમાં પાછું મેળવીશું : અમિત શાહ

amdavadpost_editor

‘મેચ ફિક્સિંગ- ધ નેશન એટ સ્ટેક’ સાથે પલ્લવી ગુર્જરની ફિલ્મ નિર્માણ ક્ષેત્રે એન્ટ્રી

amdavadpost_editor

Leave a Comment