Amdavad Post
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

માળીયા હાટીના નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ 10 ડિસેમ્બર 2024: અખબારી રિપોર્ટ અનુસાર ગઈકાલે જુનાગઢ જિલ્લામાં માળીયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ ઘટનામાં ૭ લોકો માર્યા ગયા છે. કેશોદ નજીક ના ગામે રહેતા આશાસ્પદ યુવાનો પરીક્ષા આપવા માટે જતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં ૭ યુવાનોના મોત નિપજયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. એ ઉપરાંત ગત સપ્તાહે ભાવનગર ના એક યુવાનનું પણ અકસ્માતમાં મોત નિપજયું હતું તેના પરિવારને પણ રુપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે. બંને ઘટનામાં કુલ મળીને રુપિયા ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

નાણાકીય વર્ષ 25માં ડિજિટલ પેમેન્ટ વોલ્યુમમાં 35% વૃદ્ધિ, જે મહિલાઓ, જેન ઝી અને મિલેનિયલ્સ દ્વારા પ્રેરિત

amdavadpost_editor

સ્પોર્ટી એલિગન્સના પ્રતિકનો પરિચય : યુએસ પોલો એસોસિએશન એક્સ હિઝહાઇનેસ સવાઇ પદ્મનાભ સિંઘ કલેક્શનનું લોન્ચિંગ

amdavadpost_editor

પેનાસોનિકે પશ્ચિમ ભારતમાં પોતાની 2025 AC ઉત્પાદન શ્રેણી રજૂ કરી; 55ᵒC સુધીના આકરા તાપમાન સામે ટકી શકે તેવી ડિઝાઇન કરાઇ

amdavadpost_editor

Leave a Comment