Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ, ગુજરાત | ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૬ | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા સુવિધાના પ્રારંભરૂપે કર્ણાવતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (KIMS) હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવી સુવિધા હેઠળ અદ્યતન તબીબી ટેક્નોલોજી અને વિશિષ્ટ આરોગ્યસેવાઓ એક જ છત હેઠળ ઉપલબ્ધ બનશે.

80 બેડની હોસ્પિટલમાં અનુભવી તબીબી નિષ્ણાતોની ટીમ તેમજ અદ્યતન નિદાન અને સારવાર સુવિધાઓના સહયોગથી વ્યાપક આરોગ્યસેવાઓ પૂરી પાડવામાં આવશે. હોસ્પિટલમાં 20 બેડની અદ્યતન ICU સુવિધા ઉપરાંત ચાર ક્લાસ-100 મોડ્યુલર ઓપરેશન થિયેટર ઉપલબ્ધ છે. આ સાથે વિવિધ તબીબી અને સર્જિકલ વિશેષતાઓને આવરી લેતી સારવાર અને તબીબી સેવાઓ પણ અહીં ઉપલબ્ધ રહેશે.

હોસ્પિટલમાં અદ્યતન નિદાન સુવિધાઓ અંતર્ગત ઇન-હાઉસ 32-સ્લાઇસ સીટી સ્કેનર, 3D/4D સોનોગ્રાફી, ડિજિટલ એક્સ-રે, ECG, 2D/3D ઇકોકાર્ડિયોગ્રાફી, TMT તેમજ આધુનિક ડાયગ્નોસ્ટિક લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, હોસ્પિટલમાં 24 કલાક ઇમર્જન્સી અને ટ્રોમા કેર સેવાઓ પણ કાર્યરત રહેશે.

KIMS હોસ્પિટલના ડૉ. રુતુરાજસિંહ વાળા એ જણાવ્યું હતું કે,આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને અનુભવી તબીબી નિષ્ણાતોના સહયોગથી દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ અને વિશ્વસનીય આરોગ્યસેવાઓ પૂરી પાડવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે. એક જ સ્થળે નિદાન, ઇમર્જન્સી સેવાઓ, ક્રિટિકલ કેર અને વિશિષ્ટ સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને દર્દીઓની સારવાર પ્રક્રિયાને વધુ સરળ અને સુવિધાજનક બનાવવાનો અમારો પ્રયાસ છે. દર્દીઓનો વિશ્વાસ અમારી દરેક કામગીરીના કેન્દ્રસ્થાને રહેશે.” 

હોસ્પિટલ ડાયાલિસિસ અને કીમોથેરાપી સેવાઓ, ફિઝીયોથેરાપી અને પુનર્વસન, એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી અને ERCP સુવિધાઓ પણ પ્રદાન કરે છે. વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ વૃદ્ધાવસ્થા સંભાળની સાથે 24 કલાક ફાર્મસી અને એમ્બ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ કેશલેસ મેડિકલેમ સુવિધાઓ પણ પૂરી પાડે છે અને આયુષ્માન ભારત (MA) કાર્ડ સ્વીકારે છે. 

તેના સંકલિત માળખાગત સુવિધાઓ અને તબીબી સેવાઓની શ્રેણી સાથે, KIMS હોસ્પિટલ દર્દીઓને સમયસર નિદાન અને વિશ્વ કક્ષાની સારવાર અને તબીબી સંભાળ પૂરી પાડવાનો હેતુ ધરાવે છે.

== સમાપ્ત ==

Related posts

મેરિકો ઈનોવેશન ફાઉન્ડેશન દ્વારા ઈનોવેશન ફોર ઈન્ડિયા એવોર્ડસની 10મી આવૃત્તિ માટે અરજીઓ મગાવે છે

amdavadpost_editor

હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દળ ના સ્થાપના દિવસ નિમિત્તે નાગરિક સંરક્ષણ દળ સોલા ડિવિઝન દ્વારા રૂટ માર્ચ નું ભવ્ય આયોજન કરાયું

amdavadpost_editor

મધ્યસ્થ દર્શન પર આધારિત જીવન વિદ્યા પ્રબોધકો, શ્રી સોમ ત્યાગીએ આધુનિક જીવનશૈલી પર પુનર્વિચાર કરવાની અપીલ કરી

amdavadpost_editor

Leave a Comment