Amdavad Post
અવેરનેસગુજરાતપર્યાવરણરાષ્ટ્રીયહેડલાઇન

જીવન બચાવવાથી લઈને પ્રકૃતિનું સંવર્ધન સુધી: HCG વડોદરાની મેગા વૃક્ષારોપણ પહેલ દ્વારા ભાવિ પર્યાવરણ રક્ષકોને પ્રેરણા

વડોદરા, ગુજરાત | ૦૬ જૂન ૨૦૨૬ | વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને અર્થપૂર્ણ બનાવતા HCG કેન્સર સેન્ટર વડોદરાએ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં વિશાળ વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કર્યું. આ અભિયાનમાં આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો, શિક્ષકો અને પર્યાવરણના ભાવિ સંરક્ષકો એવા શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

HCG કેન્સર સેન્ટર વડોદરાના ડૉક્ટરો, સર્જનો, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓએ ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ, IIRA ઇન્ટરનેશનલ સ્કૂલ, તેમજ દીપક ફાઉન્ડેશનના સહયોગથી નંદેસરી વિસ્તારના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મળી વિવિધ શાળાઓમાં 500 થી વધુ રોપાઓનું વાવેતર કર્યું છે.

આ પહેલ પાછળનો મુખ્ય વિચાર એ હતો કે આજે વૃક્ષો વાવનાર પેઢી ભલે વર્તમાનની હોય, પરંતુ આવનારી પેઢી જ આ વૃક્ષોને ઉછેરી, જાળવી અને તેનો લાભ મેળવશે. વિદ્યાર્થીઓને સીધી રીતે આ અભિયાન સાથે જોડીને HCGએ નાની ઉંમરથી જ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સંવેદના વિકસાવવાનો પ્રયાસ કર્યો છે.

લોકોના આરોગ્યની સુરક્ષા માટે કાર્યરત આરોગ્ય નિષ્ણાતો તરીકે HCGની ટીમે સ્વસ્થ પર્યાવરણ અને સ્વસ્થ સમાજ વચ્ચેના ગાઢ સંબંધને ઉજાગર કર્યો. વિદ્યાર્થીઓ સાથેની મુલાકાત દરમિયાન ડૉક્ટરોએ ટકાઉ જીવનશૈલી, રોગપ્રતિકારક આરોગ્ય અને હરિયાળું ભવિષ્ય નિર્માણમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમ માત્ર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પૂરતો મર્યાદિત રહ્યો નહીં, પરંતુ આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને એકત્રિત કરીને પર્યાવરણ જાગૃતિનું એક સામૂહિક આંદોલન બની ગયો. સૌએ મળીને માત્ર રોપાઓ જ નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના બીજ પણ વાવ્યા છે.

આવી પહેલ દ્વારા HCG કેન્સર સેન્ટર વડોદરા સતત એ સંદેશ આપે છે કે માનવ આરોગ્ય અને પર્યાવરણનું આરોગ્ય એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલા છે, અને આજે બાળ પેઢીને સશક્ત બનાવવી એ આવતીકાલના વધુ સ્વસ્થ અને હરિયાળા સમાજની રચના કરીએ.

== સમાપ્ત ==

Related posts

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ આંધ્ર પ્રદેશમાં ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટનું શિલાન્યાસ કર્યું

amdavadpost_editor

ABD એ નાણાકીય વર્ષ FY26 માં અત્યાર સુધીનો સર્વોચ્ચ વાર્ષિક EBITDA અને PAT નોંધાવ્યો

amdavadpost_editor

સૌરાષ્ટ્રમાં અકસ્માતની વિવિધ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadpost_editor

Leave a Comment