Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

ISAR 2026 — વંધ્યત્વ વિષય પર 30મું વાર્ષિક સંમેલન, ડૉ. આર. જી. પટેલના નેતૃત્વ હેઠળ

અમદાવાદ, ગુજરાત | ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ — ઇન્ડિયન સોસાયટી ફોર અસિસ્ટેડ રિપ્રોડક્શન (ISAR) દ્વારા અસિસ્ટેડ રિપ્રોડક્શન (વંધ્યત્વ ) વિષય પર 30મી વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જે 20થી 22 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાશે. આ કોન્ફરન્સ ISARના ગુજરાત ચેપ્ટર દ્વારા આયોજિત છે. દેશ અને વિદેશમાંથી વંધ્યત્વ અને પ્રજનન ચિકિત્સા ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો તેમાં ભાગ લેશે.

કોન્ફરન્સમાં 3,000થી વધુ પ્રતિનિધિઓ અને 800થી વધુ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો હાજરી આપશે. તેમાં ગાયનેકોલોજિસ્ટ, IVF નિષ્ણાતો, એમ્બ્રિયોલોજિસ્ટ, સંશોધકો અને વૈજ્ઞાનિકો હાજર રહેશે.

ટેકનિકલ સેશન અંતર્ગત પ્રતિષ્ઠિત વ્યાખ્યાન, નિષ્ણાત પેનલ ચર્ચાઓ, ચર્ચાસત્રો અને પ્રાયોગિક વર્કશોપ યોજાશે. ખાસ કરીને અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ (વંધ્યત્વ) અને IVF ક્ષેત્રની નવી શોધો પર વિશેષ ફોક્સ રહેશે.

આયોજક અધ્યક્ષ ડૉ. આર.જી. પટેલે જણાવ્યું કે બદલાતી જીવનશૈલી, મોડા લગ્ન, કામનો તણાવ અને આરોગ્ય સમસ્યાઓના કારણે વંધ્યત્વના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આવા સમયમાં ડોક્ટરો માટે નવી અને વૈજ્ઞાનિક આધારિત સારવાર પદ્ધતિઓ વિશે અપડેટ રહેવું જરૂરી છે. આ કોન્ફરન્સ નોલેજ ટ્રાન્સફર, ક્લિનિકલ સ્કિલ્સ અને દર્દી કેન્દ્રિત સારવારને વધુ સક્ષમ બનાવવા માટે મહત્ત્વની સાબિત થશે.

કોન્ફરન્સમાં ફર્ટિલિટી પ્રિઝર્વેશન, મોડું માતાપિતાપણું માટે એગ ફ્રીઝિંગ અને વધુ ચોક્કસ, ઓછા ઇનવેસિવ તેમજ ખર્ચ અસરકારક નવી IVF ટેકનિક્સ પર ખાસ ભાર મૂકવામાં આવશે.

આયોજન સમિતિ
* આયોજન અધ્યક્ષ: ડૉ. આર. જી. પટેલ
* સહ-અધ્યક્ષ: ડૉ. મેહુલ દામાણી
* સચિવ: ડૉ. જીતેન્દ્ર પ્રજાપતિ અને ડૉ. ધર્મેશ કાપડિયા
* ખજાનચી: ડૉ. મુકેશ પટેલ
* ISAR પ્રમુખ: ડૉ. અમિત પાટકી
* પ્રમુખ- પદનિયુક્ત: ડૉ. સુનિતા તંડુલવાડકર
સનફ્લાવર હોસ્પિટલના સીએમઓ અશોક પટેલે સમગ્ર કાર્યક્રમના સંકલનમાં ભૂમિકા ભજવી હતી.

ISAR 2026 નો ઉદ્દેશ્ય ક્લિનિકલ શ્રેષ્ઠતાને મજબૂત બનાવવા, સહયોગી શિક્ષણને પ્રોત્સાહન આપવા અને વંધ્યત્વ સંભાળમાં સમયસર જાગૃતિ અને હસ્તક્ષેપને પ્રોત્સાહન આપવાનો છે. કોન્ફરન્સમાં ભાગ લેતા નિષ્ણાતો એ પણ ચર્ચા કરશે કે કેવી રીતે પ્રારંભિક કાઉન્સેલિંગ અને યોગ્ય સારવાર મહત્વાકાંક્ષી માતાપિતાને નવી આશા આપી શકે છે, જે દેશભરમાં પ્રજનન (વંધ્યત્વ) દવાને આગળ વધારવા માટે ISAR ની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

Related posts

કુલ થાપણો YoY 20% વધી; CASA % QoQ 43 bps વધીને 25.5% થઈ, એસેટ મિક્સમાં વૈવિધ્યકરણમાં વૃદ્ધિ; સિક્યોર્ડ બુક શેર 44%

amdavadpost_editor

સુરતમાં પ્રીમિયમ ક્વોલિટી સિલ્વર જ્વેલરીનું અનોખું નામ – 92FIVE JEWELS : હર ઘર ખુશીઓ ફેલાવવાનું મિશન

amdavadpost_editor

ગાર્નિયર બ્લેક નેચરલ્સ ‘T’rust (ટ્રસ્ટ) નું નવું પ્રતીક બનાવવા માટે એમ.એસ. ધોની અને સાક્ષીસિંહ ધોની સાથે સહયોગ કરી રહી છે

amdavadpost_editor

Leave a Comment