Amdavad Post
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અલમોડા બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

ગુજરાત, અમદાવાદ ૦૪ નવેમ્બર ૨૦૨૪: સોમવારે સવારે ઉતરાખંડના અલમોડા તાબાના મોરચુલા અને કુપી નજીક અત્યંત દુઃખદ બસ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૨૨ લોકોનાં કરુણ મોત નિપજયા છે. અલમોડાના કિનાથથી રામનગર જઈ રહેલી પેસેન્જર બસના ચાલકે કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી અને તેમાં ૨૨ લોકોનાં મોત નિપજયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પંજાબ સ્થિત રામકથાના શ્રોતાઓ આ ઘટનાની વિગતો એકઠી કરી રહ્યા છે અને માર્યા ગયેલાઓના પરિવારજનોના બેંક એકાઉન્ટ નંબર મેળવી ટ્રસ્ટ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે.

પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

OS અપગ્રેડ્સની 6 જનરેશન્સ સાથે પ્રથમ A સિરીઝ ગેલેક્સી A16 5G ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ કરાશે

amdavadpost_editor

દુનિયાની પ્રસન્નતાથી ઇમ્પ્રેસ ન થાય અને નિંદાથી ડિપ્રેશ ન થાય એ બુદ્ધપુરુષ છે.

amdavadpost_editor

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025: હોમ, કિચન અને આઉટડોર શ્રેણીઓમાં 80% સુધીની છૂટ; 23 સપ્ટેમ્બરથી હીરો મોટોકોર્પ, ફિલિપ્સ, ગોદરેજ અને અન્ય ટોચની બ્રાન્ડ્સ પર આકર્ષક ડીલ્સનો લાભ લો

amdavadpost_editor

Leave a Comment