Amdavad Post
ગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

જી.એસ.ટી.કાયદા અને પોર્ટલમાં સુધારા અંગે નાણાં મંત્રાલય અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને રજૂઆત

ગુજરાત, અમદાવાદ | ૧૮મી ઓગસ્ટ ૨૦૨૫: ઈન્કમ ટેક્સ બાર એસોસિએશન, અમદાવાદ (ITBA) અને ઓલ ગુજરાત ફેડરેશન ઑફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ (AGFTC) દ્વારા સંયુક્તપણે તાજેતરમાં માનનીય કેન્દ્રિય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ ને જી.એસ.ટી.કાયદા અને પોર્ટલ માં સુધારા અંગે રજૂઆત કરવામાં આવેલ છે. આ રજૂઆતમાં જી.એસ.ટી. કાયદા, તે અંતર્ગત નીતિ તેમજ જી.એસ.ટી. પોર્ટલની કામગીરીમાં સુધારા અંગે વ્યવહારુ અને અમલયોગ્ય સૂચનો રજૂ કર્યા છે.

એસોસિએશન ના નિષ્ણાતો ના જણાવ્યા મુજબ પ્રથમવાર માત્ર ફરિયાદ ના બદલે વ્યવહારુ સૂચનો અને તેનો અમલ કેવી રીતે થઇ શકે તે દ્રષ્ટિકોણથી કરવામાં આવેલ આ હકારાત્મક સૂચનો અનુભવી કરનિષ્ણાતો, તથા અન્ય હિતધારકો સાથે ચર્ચા બાદ તૈયાર કરાયા છે.આ રજુઆતનો મુખ્ય ઉદ્દેશ વિવાદો ઘટાડવા, કમ્પ્લાયન્સને સરળ બનાવવું અને પોર્ટલના ટેકનિકલ કાર્યોમાં સુધારો લાવવાનો છે.

એસોસિએશન ના નિષ્ણાતો ના જણાવ્યા મુજબ સેક્શન 74 હેઠળ વન-ટાઈમ અમનેસ્ટી યોજના, એપિલેટ ટ્રિબ્યુનલને વહેલી તકે શરુ કરવામાં આવે, દંડની રકમમાં સુધારા, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને રાહત અને જી.એસ.ટી. પોર્ટલમાં ટેકનિકલ સુધારાઓ જી.એસ.ટી. વિભાગના અધિકારીઓ અને વેપારીઓ બંને માટે ફાયદાકારક બનશે.

આ રજૂઆતની નકલ રેવેન્યુ સેક્રેટરી, ગુજરાતના નાણાંમંત્રી, સી.બી.આઈ.સી.ના ચેરમેન અને ગુજરાત રાજ્ય અને કેન્દ્ર જી.એસ.ટી. વિભાગના ચીફ કમિશનરને પણ મોકલવામાં આવેલ છે.

Related posts

ડિલિવરીમાં મહારત મેળવવાથી લઈને પિતાની ફરજોમાં મહારત મેળવવા સુધી

amdavadpost_editor

ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. એ મજબૂત Q2/FY2025ના નાણાકીય પરિણામોની જાહેરાત કરી

amdavadpost_editor

નૂતનવર્ષના સૌને અભિનંદન અને જય સીયારામ

amdavadpost_editor

Leave a Comment