Amdavad Post
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભારત રક્ષા મંચનો બે દિવસીય પ્રાંતીય અભ્યાસ વર્ગ ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયો

ગુજરાત, અમદાવાદ ૦૩ મે ૨૦૨૫: આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત સંઘચાલક ડૉ. ભરત પટેલની પ્રમુખ ઉપસ્થિતિ રહી. આ સમયે ડો. ભરત પટેલ એ હિન્દૂ સનાતની લોકોને પોતાના હિન્દૂ સનાતની વ્યવહારો વિષે અને પોતાના હિન્દૂ ધર્મ પ્રત્યેનું માર્ગદર્શન આપ્યું . સાથે સાથે બાંગ્લાદેશી ઘુસણખોરો અને દેશની અંદર ઉભી થયેલી અરાજકતા વિષે પણ તેમનું પોતાનું બૌદ્ધિક માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ભારત રક્ષા મંચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ લક્ષ્મીનારાયણ શર્મા, રાષ્ટ્રીય સંગઠન મંત્રી પ્રશાંત કોટવાલ, ગુજરાત પ્રાંત અધ્યક્ષ ડૉ. ઈલેવાન ઠાકર, રાજસ્થાન પ્રાંત અધ્યક્ષ લવેશ ગોયેલ, ભારત રક્ષા મંચના પ્રાંત મહામંત્રી પ્રશાંત પરમાર વગેરે પ્રમુખ રીતે ઉપસ્થિત રહયા હતા. અને ગુજરાત રાજ્યના મોટાભાગના દરેક જિલ્લામાંથી પદાધિકારોની ઉપસ્થિતિ રહી હતી. આ અભ્યાસવર્ગના રવિવારના રોજ સમાપન વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત રાજ્યના કાર્યવાહ શૈલેષભાઇ પટેલની ઉપસ્થતિ રહેશે અને વર્તમાન સ્થિતિ વિષે અભ્યાસવર્ગની અંદર માહિતી રજુ કરશે.

ભારત દેશના દરેક રાજ્યમાં એનઆરસી અપડેટ થાય તેની માંગ અને ચિંતા અભ્યાસવર્ગની અંદર કરવામાં આવી અને ગુજરાત પ્રાંતના દરેક પદાધિકારીઓ અને રાજસ્થાન પ્રાંતના દરેક પદાધિકારીઓ દ્વારા દેશની સરકારને આહવાન કરવામાં આવ્યું કે આખા દેશની અંદર એનઆરસી અપડેટ કરે તેવી માંગ કરવામાં આવી.

Related posts

એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા પેરાથાઇરોઇડ એડેનોમા શોધ માટે ગુજરાતનું પ્રથમ સફળ ગેલિયમ 68 ટ્રાઇવેહેક્સિન પેટ-સીટી ઇમેજિંગનું આયોજન કરાયું

amdavadpost_editor

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદ: ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન ઓલ-અરાઉન્ડ ડિસ્પ્લે પછી ચેમ્પિયન્સનો તાજ પહેર્યો

amdavadpost_editor

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025: લેપટોપ, ટેબ્લેટ અને ઓડિયો ડિવાઇસ પર 75% સુધીની છૂટ; સેમસંગ, એપલ, એચપી, સોની, બોટ, આસુસ અને અન્ય ટોચની બ્રાન્ડ્સ પર ટોપ ડીલ્સ જાહેર

amdavadpost_editor

Leave a Comment