Amdavad Post
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

SIT રિપોર્ટમાં: વંતારા સામેના કાર્બન ક્રેડિટના આક્ષેપ ખોટા ઠર્યા

ગુજરાત | ૧૮મી સપ્ટેમ્બર ૨૦૨૫: સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ જામનગર સ્થિત વંતારા – વન્યજીવ સંભાળ અને સંરક્ષણ કેન્દ્ર – ને બધા મોટા આક્ષેપોમાં નિર્દોષ જાહેર કર્યું છે. એક આક્ષેપ એવો હતો કે વંતારા પ્રાણીઓ રાખીને કાર્બન ક્રેડિટ મેળવવાનું વ્યાપારી લાભ લે છે.

વંતારા, જે અનંત અંબાણી દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન હેઠળ સ્થાપિત થયું છે, વિશ્વના સૌથી મોટા પ્રાણી સંરક્ષણ પ્રોજેક્ટ્સમાંના એક છે. અહીં હજારો બચાવેલા પ્રાણીઓ રહે છે અને લગભગ 3,000 નિષ્ણાતો તથા સંભાળકર્તાઓ કામ કરે છે.

SIT ની તપાસમાં સાબિત થયું કે પાણીનો દુરુપયોગ ખોટો હતો. કાર્બન ક્રેડિટ અંગેના આક્ષેપો પણ ખોટા હતા અને માત્ર લોકોનો ધ્યાન ખેંચવા માટે બનાવવામાં આવ્યા હતા. SIT એ સ્પષ્ટ કર્યું કે પ્રાણીઓના બચાવ, સંભાળ અને નિવાસ માટે કોઈ કાયદેસર રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સિસ્ટમ દ્વારા કાર્બન ક્રેડિટ આપવામાં આવતું નથી. વંતારાએ ક્યારેય આવું કોઇ કાર્બન ક્રેડિટ મેળવવાનું નથી કર્યું.

વંતારાનું કોઈ નફો અથવા પર્યાવરણ ક્રેડિટ સાથે તેનો સંબંધ નથી.

સુપ્રીમ કોર્ટે SIT ના તારણોને સ્વીકાર્યા છે, જેના કારણે આ કેસ પૂર્ણ થયો છે અને વંતારાની પ્રાણીસુખાકારી અને સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતા ફરીથી માન્ય બની છે.

Related posts

કેન્યાની કથાનું ભાવભીનું સમાપન; ૧૫-ઓગસ્ટથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગુંજશે ‘તુલસી’ નાદ

amdavadpost_editor

SME IPO માટે ભારતના MSME ને તૈયાર કરવા માટે મીશો BSE સાથે ભાગીદારી કરે છે

amdavadpost_editor

ઓલ ગુજરાત ફેડરેશનઑફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ તેમજ ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત 6ઠ્ઠીઅને 7મી માર્ચ, 2026ના રોજ યોજાયેલ બે દિવસીય ટેક્સ કોનક્લેવ 2026નું આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું

amdavadpost_editor

Leave a Comment