Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મેઘાલયના ખાણ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પહેલા દેશના પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં એક ખાણમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ૧૮ લોકોનાં મોત નિપજયા હતા. જૈનીતીયા વિસ્તારમાં આવેલી એક કોલસાની ખાણમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં ૧૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ દુઃખદ ઘટના બની તેમાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૭૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા વરુણ મોદી દ્વારા મેઘાલય રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡

Related posts

JSW MG મોટર ઈન્ડિયા સુરતમાં એક જ દિવસે 101 MG વિન્ડસર ડિલિવરી કરે છે

amdavadpost_editor

આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (EDII), ઇન્ફીબીમ એવન્યુ લિમિટેડ અને ફ્રોનેટિક AI એ AI એક્સેલેરેટર પ્રોગ્રામ શરૂ કરવા માટે સહયોગ કર્યો

amdavadpost_editor

જગતની જે સભ્યતાએ માતૃ સ્વરૂપોને સ્વિકાર્યું નથી એ કાળાંતરમાં નિષ્ફળ ગઇ છે.

amdavadpost_editor

Leave a Comment