Amdavad Post
CSR પ્રવૃત્તિઓગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

રોટરેક્ટ ક્લબ અને વી ફોર યુ ફાઉન્ડેશન દ્વારા નિસ્વાર્થ લહિયાઓ અને તેજસ્વી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનું સન્માન

અમદાવાદ | ૧૧ જુલાઈ ૨૦૨૫: રોટરેક્ટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ (બ્લાઈન્ડ) અને વી ફોર યુ ફાઉન્ડેશન દ્વારા સંયુક્તપણે એક વિશિષ્ટ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમ અંધશાળા, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સામે, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ ખાતે યોજાયો હતો.

આ સમારોહનો મુખ્ય હેતુ એવા નિસ્વાર્થ લહિયાઓને બિરદાવવાનો છે, જેઓ શાળા અને કોલેજમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના પરીક્ષામાં પેપર લખે છે. આ લહિયાઓનો સહયોગ પ્રશંસનીય છે અને તેમના યોગદાનને સન્માનિત કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.

આ ઉપરાંત, માર્ચ 2025 માં ધોરણ 10 અને 12 ની પરીક્ષા વિશેષ શાળાઓમાંથી પાસ કરનાર અને પોતાની શાળામાં પ્રથમ કે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના તેજસ્વી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને પણ આ પ્રસંગે બિરદાવવામાં આવ્યા. તેમની મહેનત અને સિદ્ધિઓ અન્યો માટે પ્રેરણારૂપ છે.

આ કાર્યક્રમમાં સંસ્થાને વિવિધ રીતે મદદ કરનાર સ્વયંસેવકો (વોલન્ટિયર્સ) નું પણ સન્માન કરવામાં આવ્યું, કારણ કે તેમના સહયોગ વિના આવા કાર્યક્રમોનું આયોજન શક્ય નથી.

Related posts

GSEB HSC – 2024 પરિણામોની જાહેરાત બાદ પારુલ યુનિવર્સિટી બીએ પ્રોગ્રામ્સ ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે પ્રવેશનો પ્રારંભ કર્યો

amdavadpost_editor

આ જગતમાં દુર્લભ હોય તો એ મહાત્મા છે. અધ્યાત્મ જગતમાં ગુરુવાણીથી ઉપર કોઈની વાણી નથી

amdavadpost_editor

અમદાવાદના ભાડજ ખાતે સૌપ્રથમવાર વિશ્વ કલ્યાણ અર્થે મહર્ષિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય “સાવિત્રી “પર સાત દિવસીય સતયુગી ભાગવત સાવિત્રી જ્ઞાન યજ્ઞનું આયોજન

amdavadpost_editor

Leave a Comment