Amdavad Post
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

સ્કૉલિયોસિસ ને સમજવું: કારણો, પ્રકારો અને બાળકો તેમજ પુખ્ત વયના લોકોમાં તેનો વિકાસ

ડૉ. અમિત ઝાલા, સિનિયર કન્સલ્ટન્ટસ્પાઇન સર્જન, એચસીજી હોસ્પિટલ્સ, અમદાવાદ

તંદુરસ્ત શરીરમાં સ્પાઇન એ એન્જિનિયરિંગનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. 33ઇન્ટરલોકિંગબોન્સની બનેલી આ કોલમ આપણને ટટ્ટાર રાખે છે, સ્પાઇનલકોર્ડનું રક્ષણ કરે છે અને આપણને બેન્ડ, ટ્વિસ્ટ થવા તેમજ આખા જીવનનો ભાર વહન કરવાની ક્ષમતા આપે છે. કેટલાક લોકોમાં, આ કોલમ તેની સીધી રેખાથી ડેવિએટ થઈ જાય છે, જે બાજુની તરફ વળીને લાક્ષણિક એસ અથવા સી શેપ ધારણ કરે છેએક એવી કન્ડિશન જેના પર ક્લિનિશિયન્સ એક સદી કરતા પણ વધુ સમયથી ચર્ચા કરી રહ્યા છે.ઇન્ડિયનઓર્થોપેડિકએસોસિએશનના અંદાજ મુજબ, આ સ્થિતિ વસ્તીના2-3 ટકા લોકોને અસર કરે છે, જે આશરે 70 થી 150 લાખ લોકો જેટલી થાય છે. તેમ છતાં, તેનું સ્ક્રીનિંગ ખૂબ ઓછું થાય છે અને ઘણીવાર ડાયગ્નોસિસ ત્યારે જ થાય છે જ્યારે તે ઇઝીટ્રીટમેન્ટવિન્ડોથી આગળ વધી ગઈ હોય છે.

સ્કૉલિયોસિસને સમજવું

સ્કૉલિયોસિસનેકરોડરજ્જુના ઓછામાં ઓછા 10 ડિગ્રીનાલેટરલ વળાંક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેને કોબ એંગલ દ્વારા માપવામાં આવે છે. 1948 થી આ માપદંડ રેડિયોગ્રાફિક તપાસ માટે સર્વોત્તમ ગણાય છે.તેને સામાન્ય પોશ્ચરલઅસમપ્રમાણતા થી જે બાબત અલગ પાડે છે, તે તેની બંધારણીય પ્રકૃતિ છે: આમાં કરોડરજ્જુ માત્ર એક બાજુ નમતી નથી, પરંતુ તેની ઉભી ધરી પર પરિભ્રમણ પણ કરે છે, જે તેને ત્રિ-પરિમાણીય વિકૃતિ બનાવે છે.20 ડિગ્રીથી ઓછો વળાંક હોય તો માત્ર તેનું નિરીક્ષણ કરવામાં આવે છે; 20 થી 40 ડિગ્રી વચ્ચેના વળાંક માટે બ્રેસિંગનો ઉપયોગ થઈ શકે છે; જ્યારે વધતા જતા બાળકમાં 45-50 ડિગ્રીથી વધુનો વળાંક હોય, તો સામાન્ય રીતે સર્જિકલ મૂલ્યાંકન અનિવાર્ય બને છે, કારણ કે તેમાં વળાંક વધવાનું જોખમ, દુખાવો અને થોરાસિકવળાંકમાંફેફસાંનીકાર્યક્ષમતામાં અવરોધ આવવાનું જોખમ રહેલું હોય છે.

સ્કૉલિયોસિસનાપ્રકારો: કારણો, વર્ગીકરણ અને સારવાર માટે દરેકનો અર્થ શું છે

ઇડિયોપેથિકસ્કૉલિયોસિસ સૌથી સામાન્ય છે, જે કુલ કિસ્સાઓના અંદાજે 80% હિસ્સો ધરાવે છે. ઇડિયોપેથિકનો અર્થ એ છે કે તેનું કારણ અજ્ઞાત છે. તે કયા સમયે શરૂ થાય છે તે ઉંમરના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે: ઇન્ફન્ટાઇલ (જન્મથી ત્રણ વર્ષ), જુવેનાઇલ (ત્રણથી દસ વર્ષ), અને એડોલેસન્ટ (દસ વર્ષથી હાડકાંની પરિપક્વતા સુધી). એડોલેસન્ટઇડિયોપેથિકસ્કૉલિયોસિસ એ અત્યાર સુધીનો સૌથી પ્રચલિત પેટાપ્રકાર છે.

જન્મજાત સ્કૉલિયોસિસ નો ઉદ્ભવગર્ભના વિકાસ દરમિયાન થાય છે, જ્યાં ગર્ભાવસ્થાના પ્રથમ છ અઠવાડિયામાં કરોડરજ્જુનામણકાની ખામીયુક્ત રચનાને કારણે બંધારણીય અસમપ્રમાણતા સર્જાય છે. એક હેમીવર્ટીબ્રા, જે કરોડરજ્જુની માત્ર એક જ બાજુએ હાજર હોય છે, તે કુદરતી રીતે ફાચર જેવો આકાર બનાવે છે, જે જો સુધારવામાં ન આવે તો ઉત્તરોત્તર વધતાવળાંકનું કારણ બને છે.

ન્યુરોમસ્ક્યુલરસ્કૉલિયોસિસ એવા બાળકોમાં વિકસે છે જેમના સ્નાયુઓ અથવા કરોડરજ્જુને નિયંત્રિત કરતી નસો નબળી હોય છે, જેમ કે સેરેબ્રલપાલ્સી, મસ્ક્યુલરડિસ્ટ્રોફી અથવા સ્પાઇનલમસ્ક્યુલરએટ્રોફી. સ્નાયુઓનાસંતુલિત ટેકા વિના, આ પ્રકારના વળાંક ગંભીર હોઈ શકે છે અને તે ખૂબ ઝડપથી વધી શકે છે.

ડિજનરેટિવસ્કૉલિયોસિસ અગાઉ સામાન્ય રહેલી કરોડરજ્જુમાંવિકસે છે, જે સામાન્ય રીતે જીવનનાપાંચમા કે છઠ્ઠા દાયકા પછી જોવા મળે છે. આ સ્થિતિ કરોડરજ્જુની ગાદી  અને સાંધાઓમાં થતા અસમાન ઘસારાના પરિણામે ઉદ્ભવે છે.

બાળકોમાં સ્કૉલિયોસિસ: શારીરિક વિકાસ દરમિયાન કરોડરજ્જુમાં આવતો વળાંક

કિશોરાવસ્થાનો ઝડપી વિકાસ એ આ રોગ માટે સૌથી મહત્વનો સમયગાળો છે. એકવાર કરોડરજ્જુમાંવળાંકની શરૂઆત થઈ જાય, પછી તે શારીરિક વિકાસ દરમિયાન વધુ ખરાબ થવાની શક્યતા ધરાવે છે અને હાડકાંની પરિપક્વતા આવતા તે સ્થિર થાય છે. 10 વર્ષના બાળકમાં, જેનો હજી ઘણો વિકાસ બાકી છે, તેમાં જોવા મળતો 15-ડિગ્રીનો વળાંક એ 16 વર્ષના કિશોર, જે તેના વિકાસના અંતિમ તબક્કે છે, તેના સમાન વળાંક કરતા ખૂબ જ અલગ અને ગંભીર પરિણામ ધરાવે છે.

પુખ્ત વયના લોકોમાં સ્કૉલિયોસિસ: વધતી ઉંમર સાથે કરોડરજ્જુમાં આવતા ફેરફારો

પુખ્ત વયના લોકોમાં, કરોડરજ્જુનામણકા વચ્ચેની ગાદી ઉંમર વધવાની સાથે ધીમે ધીમે પાણીનું પ્રમાણ ગુમાવે છે. જ્યારે આ ઘસારો અસમાન રીતે થાય છે, ત્યારે તે ભારનીઅસંતુલિત વહેંચણી સર્જે છે, જેના કારણે સાંધાનો ઘસારો, મણકાનું પરિભ્રમણ અને બાજુ તરફ ખસવાનીપ્રક્રિયાનું એક ચક્ર શરૂ થાય છે જે પોતાની મેળે જ વધતું રહે છે.ઓસ્ટિયોપોરોસિસ આ પ્રક્રિયાને વેગ આપે છે: મણકાની એક બાજુએ થતા સામાન્ય કોમ્પ્રેસન ફ્રેક્ચર પણ એવી અસમપ્રમાણતા પેદા કરી શકે છે જે વળાંકની શરૂઆત કરે છે અથવા તેને વધુ ગંભીર બનાવે છે. 2025 ના સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રકાશિત એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મધ્યમ સ્તરનું સ્કૉલિયોસિસL3-L4 મણકા પાસે ગંભીર ફેસેટઆર્થ્રોપથીથવાની શક્યતા છ ગણી વધારે વધારી દે છે. કિશોરાવસ્થાના પ્રકારથી વિપરીત, પુખ્ત વયનાસ્કૉલિયોસિસમાં મુખ્યત્વે દુખાવો, ક્રોનિકબેકપેઇન, નસોનું દબાણ અને ચાલવામાં વધતી જતી મુશ્કેલી જેવા લક્ષણો જોવા મળે છે.

સ્ક્રીનીંગગેપ

બાળકોમાં હળવું સ્કૉલિયોસિસ ભાગ્યે જ દુખાવો પેદા કરતું હોવાથી, તે ઘણીવાર ત્યાં સુધી ધ્યાન વગરનું રહી જાય છે જ્યાં સુધી તે વધી ન જાય. અમેરિકાના સંશોધનમાં જાણવા મળ્યું છે કે જ્યારે શાળાઓમાં કરવામાં આવતું સ્ક્રીનિંગ બંધ કરવામાં આવ્યું, ત્યારે બાળકોમાં વળાંક વધુ ગંભીર અવસ્થામાં જોવા મળ્યો, જેના કારણે વધુ સઘન સારવારની જરૂર પડી.ભારતમાં, જ્યાં સ્ક્રીનિંગ હજુ પણ અનિયમિત છે અને મોટે ભાગે શહેરી વિસ્તારો પૂરતું મર્યાદિત છે, ત્યાં પ્રથમ તબીબી તપાસ અવારનવાર ત્યારે જ થાય છે જ્યારે વળાંકને કારણે દુખાવો, શારીરિક વિકૃતિ અથવા શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હોય. આ સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ હોય છે જ્યાં માત્ર કસરત કે પટ્ટા જેવી સામાન્ય સારવાર પૂરતી હોતી નથી.

Related posts

રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી સંદર્ભે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ રમતવીરો અને કોચનો સન્માન કાર્યક્રમ યોજાયો

amdavadpost_editor

ગ્રીવ્ઝ ઈલેક્ટ્રિક મોબિલિટી એમ્પિયર ડીલરશિપ માટે ઈલેક્ટ્રિક ક્રાંતિમાં જોડાવા ડીલરોને આમંત્રિત કરે છે

amdavadpost_editor

ગાંધીનગર ખાતે ફાર્માટેક એક્સપોમાં ટેક્નોલોજીના નવા યુગની શરૂઆત

amdavadpost_editor

Leave a Comment